Site icon News Continuous Bureau | Mumbai

આનંદો : મુંબઈ શહેરમાં હવે લોકડાઉનની શક્યતા નહીવત, જોકે સરકાર આકરા પગલાં લેવાનું ચાલુ રાખશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 માર્ચ 2021

મુંબઈ શહેરમાં લોકડાઉન ક્યારે લાગશે? શું લોકડાઉન થશે? હવે શું થશે? આ તમામ અટકળો પર હાલ પૂર્ણ વિરામ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે મોડી રાત્રે હુકમ જાહેર કરીને અનેક પ્રતિબંધો લાદ્યા છે. આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ પણ વિશેષ પગલા લીધા છે. આ બંને પગલા પરથી એવું લાગી રહ્યું છે કે જો સરકારે લોકડાઉન લગાવવું હોત તો આ પગલાં લેવાની કોઈ જરૂર નહોતી. આ તમામ પગલાઓ ૩૧મી માર્ચ સુધી લાગુ રહેશે. આનો અર્થ એમ થાય છે કે આડકતરી રીતે 31 માર્ચ સુધી લોકડાઉન નહિ લાગે.

સરકારે જે નવા પગલા લીધા છે તે મુજબ હવે રેસ્ટોરન્ટ અને હોટલ ૫૦ ટકા હાજરી સાથે ચાલી શકશે.

આ ઉપરાંત લગ્ન સમારંભમાં માત્ર 50 લોકો આવી શકશે તેમ જ અંતિમ સંસ્કાર દરમિયાન ૨૦ લોકોને પરવાનગી રહેશે.

મુંબઈ મહાનગરપાલિકા ના અધિકારીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે અમે મુંબઈ ની પરિસ્થિતિ નજીકથી જોઈ રહ્યા છીએ. આથી હાલ લોકડાઉન સંદર્ભે કોઈ નિર્ણય લેવાયો નથી.

આમ મુંબઈ શહેરના માથેથી લોકડાઉન ની ઘાત હમણાં ટળી છે.

Charkop Police Recover Stolen Lost Mobile ચોરાયેલા અને ગુમ થયેલા ૩૧૯થી વધુ કિંમતી મોબાઈલ પોલીસે મૂળ માલિકોને પરત સોંપ્યા, ચારકોપ પોલીસની મોટી સફળતા
Kandivali Child Labour કાંદિવલીની ગારમેન્ટ ફેક્ટરીમાંથી પોલીસે ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવ્યા, ફેક્ટરી માલિક અને સંચાલક સામે ગુનો દાખલ
Fake CEO Cyber Fraud કંપનીના નકલી CEO બની કર્મચારીઓને ખંખેરતી ટોળકીનો પર્દાફાશ બિહારઝારખંડથી ૨ ગઠિયા ઝડપાયા, ₹૪૮.૬૦ લાખ ફ્રીઝ
BMC Junior Engineer Bribery લાંચિયા અધિકારી પર એન્ટી કરપ્શન બ્યુરોની તરાપ BMCના જુનિયર એન્જિનિયર પાસેથી ₹૭ લાખથી વધુ રોકડ ઝડપાઈ
Exit mobile version