Site icon News Continuous Bureau | Mumbai

સામાન્ય વ્યક્તિઓ માટે લોકલ ટ્રેન હવે શું શરૂ થવાની? આનાથી ઉંધું ટ્રેનના ફેરા ઓછા કરવા સંદર્ભે સરકાર વિચારી રહી છે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

27 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્ર સરકારના મંત્રી એવા વિજય વડટ્ટીવારે નાગપુર ખાતે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે મુંબઈ શહેરની પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે અને આમાં પણ સૌથી વધુ ચિંતાજનક પરિસ્થિતિ લોકલ ટ્રેનમાં થનાર ભીડ છે. આથી અમે ઈચ્છીએ છીએ કે ભીડ ઓછી કરવા માટે નવા નવા રસ્તા અજમાવવામાં આવે. સરકાર અત્યારે ગંભીરતાથી વિચારી રહી છે કે તે લોકલ ટ્રેન ના ફેરા એટલે કે લોકલ ટ્રેનની ટ્રીપ ઓછી કરે. આ ઉપરાંત સરકાર બસમાં ભીડ કઈ રીતે ઓછી થાય તે સંદર્ભે પણ કોઈ ઉપાય યોજના વિચારી રહી છે.

મંત્રીએ મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું હતું કે લોકડાઉન હવે પરવડશે નહીં. આથી તેનો વૈકલ્પિક ઉપાય કરવો જોઈએ.

મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર યથાવત. એક જ દિવસમાં 400 એક્ટિવ કેસસ વધ્યા. જાણો આંકડા અહીં..

આમ સરકારના નિવેદન પરથી એવું લાગે છે કે સામાન્ય વ્યક્તિઓ માટે લોકલ ટ્રેનમાં સફર કરવું હજી સપનું રહેશે.

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version