News Continuous Bureau | Mumbai
Mangal Prabhat Lodha Kanyakubja Bhavan: મુંબઈના મહાલક્ષ્મી સ્થિત કાન્યકુબ્જ ભવનમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશેષ પૂજા અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ હાજરી આપી હતી. કાન્યકુબ્જ મંડળ મુંબઈ દ્વારા દર મહિને નિયમિતપણે કરવામાં આવતા સુંદરકાંડના પાઠની પ્રશંસા કરતા મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે, “આ એક અત્યંત પ્રશંસનીય કાર્ય છે. આવા આધ્યાત્મિક આયોજનોથી સમાજમાં એકતા જળવાય છે અને લોકોને સાથે રહેવાનું બળ મળે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે કાન્યકુબ્જ ભવન હંમેશા લોકોની સેવામાં અગ્રેસર રહે છે.

અતિથિઓનું સન્માન અને મહાનુભાવોની ઉપસ્થિતિ
આ શુભ પ્રસંગે કાન્યકુબ્જ મંડળ મુંબઈ તરફથી કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢા અને નગરસેવક અજય પાટિલનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાન્યકુબ્જ સમાજના અનેક અગ્રણીઓ અને માન્યવરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અરવિંદ અવસ્થી, સત્યપ્રકાશ બાજપેઈ, અજય અ.શુક્લા, સત્યપ્રસાદ બાજપેઈ, રોહિત તિવારી, જગતનારાયણ દીક્ષિત, શાનુ શુક્લા, ભૂપેશ શુક્લા તેમજ મહિલા પાંખના પ્રતિનિધિઓ જયશ્રી દ્વિવેદી, ગીતા શુક્લા, મમતા શુક્લા અને અર્ચના દીક્ષિત સહિતના મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mira-Bhayandar Permit Scam:મીરા-ભાયંદર ઈ-રિક્ષા પરમિટમાં મોટું કૌભાંડ? બોગસ દસ્તાવેજોના આધારે રોહિંગ્યાઓને પરમિટ અપાયાનો પૂર્વ ધારાસભ્યનો સનસનાટીભર્યો દાવો