Site icon News Continuous Bureau | Mumbai

Major Blow to BJP in Bhiwandi: ભિવંડી મહાપાલિકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: ભાજપના બળવાખોર અને કોંગ્રેસની જુગલબંધી, નારાયણ ચૌધરીએ પલટી નાખ્યું આખું ગણિત.

Major Blow to BJP in Bhiwandi: ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકામાં સત્તાનું સમીકરણ બદલાયું; ડેપ્યુટી મેયર પદે કોંગ્રેસના મોમિન તારિક બારીની જીત.

Major Blow to BJP in Bhiwandi Rebel Leader Narayan Chaudhary Becomes Mayor with Congress Support.

Major Blow to BJP in Bhiwandi Rebel Leader Narayan Chaudhary Becomes Mayor with Congress Support.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. અહીં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો આપતા તેના જ બળવાખોર નેતા નારાયણ ચૌધરી કોંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સમર્થનથી મેયર પદે ચૂંટાઈ આવ્યા છે. જાન્યુઆરીમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ખરીદ-વેચાણ અને રાજકીય ખેંચતાણના આક્ષેપો થઈ રહ્યા હતા.વિલાસરાવ દેશમુખ ઓડિટોરિયમમાં હાથ ઊંચા કરીને મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નારાયણ ચૌધરીએ બહુમતી સાબિત કરી દીધી હતી. નારાયણ ચૌધરીને કુલ 48 મતો મળ્યા હતા, જે જાદુઈ આંકડાથી બે વધુ છે. બીજી તરફ ભાજપના સત્તાવાર ઉમેદવાર સ્નેહા પાટીલને માત્ર 16 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. આ જીત સાથે જ ભિવંડીમાં ભાજપનું શાસન સ્થાપવાનું સપનું રોળાઈ ગયું છે.

Join Our WhatsApp Channel

કોંગ્રેસ અને એનસીપીનું સેક્યુલર ફ્રન્ટ

ભિવંડીમાં ભાજપને રોકવા માટે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ હાથ મિલાવીને એક ધર્મનિરપેક્ષ મોરચો બનાવ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે જણાવ્યું હતું કે, પાર્ટીએ ભાજપ કે એકનાથ શિંદેની શિવસેના સાથે ગઠબંધન ન કરવાનો અને પોતાની વિચારધારા સાથે કોઈ સમજૂતી ન કરવાનો નિર્ણય લીધો હતો. ભાજપના કેટલાક કોર્પોરેટરોએ પક્ષ છોડીને આ મોરચાને સાથ આપતા મેયર અને ડેપ્યુટી મેયર પદ જીતવામાં સફળતા મળી છે.

આ સમાચાર પણ વાંચો : Donald Trump Tariff: ભારતીય નિકાસકારો સાવધાન! ટ્રમ્પના ૧૦% ગ્લોબલ ટેરિફથી શું ભારતીય અર્થતંત્રને લાગશે ઝટકો? જાણો સંપૂર્ણ વિશ્લેષણ

શા માટે નારાયણ ચૌધરીએ કર્યો બળવો?

નારાયણ ચૌધરી અગાઉ કોંગ્રેસમાં જ હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. જોકે, ભાજપે છેલ્લી ઘડીએ મેયર પદના ઉમેદવાર તરીકે નારાયણ ચૌધરીનું નામ હટાવીને સ્નેહા પાટીલને મેદાનમાં ઉતારતા તેઓ નારાજ થયા હતા. તેમણે ભાજપના કેટલાક કોર્પોરેટરો (Corporators) સાથે મળીને એક સ્વતંત્ર જૂથ બનાવ્યું અને કોંગ્રેસના ગઠબંધનને ટેકો આપ્યો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે આ મામલે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

વિકાસના કામો પર રહેશે ભાર

મેયરની ચૂંટણી જીત્યા બાદ નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્થાનિક રાજકારણની સ્થિતિ અલગ હોય છે અને તેમનું મુખ્ય લક્ષ્ય હવે ભિવંડીનો વિકાસ કરવાનું રહેશે. બીજી તરફ વિપક્ષી નેતાઓએ આ જીતને જનતાની જીત ગણાવી છે. આ ઉલટફેરને કારણે આગામી સમયમાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી પૂરેપૂરી શક્યતાજોવા મળી રહી છે.

Pakistan ministers admit failure ‘ભારત ક્યાં પહોંચી ગયું અને આપણે ક્યાં છીએ’, પાકિસ્તાનમાં રક્ષા અને ગૃહ મંત્રીએ સ્વીકારી નાકામી, શાહબાઝને ચેતવ્યા
Amravati hospital fire અમરાવતીની હોસ્પિટલમાં વેન્ટિલેટર ફાટવાથી ભીષણ આગ, 3 બાળકો ભભૂકતી આગનો ભોગ બન્યા
Shivaji Nagar Police શિવાજીનગર પોલીસની મોટી સફળતા હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદની સજા
Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Exit mobile version