Site icon

સંભાળી ને રહેજો મુંબઈમાં કોરોના બાદ મલેરિયાએ જાેર પકડ્યું. ૫૦૦૦ દર્દીઓ નોંધાયા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

વાતાવરણમાં ફેરફાર, કમોસમી વરસાદનો ફટકો મુંબઈગરામાં આરોગ્યને લાગી રહ્યો છે. લેપ્ટો, હેપિટાઈટિસ,ચિકનગુનીયા અને એચ૧એન૧ બીમારી નિયંત્રણમાં છે. પણ મલેરિયાનું જાેર વધુ છે. મલેરિયાના ૫૬ દરદીઓ મળ્યા છે. ત્યારબાદ ડેન્ગ્યુના ૧૨ અને ગેસ્ટ્રોના ૫૦ દરદીઓ મળી આવ્યા હતા. આ ત્રણેય બીમારીઓના ૧૧૮ દરદીઓ મળ્યા છે. રાહતની વાતને છેકે તેમાં કોઈનું પણ મોત થયું નથી. પાલિકાના કાર્યકારી આરોગ્ય અધિકારી ડૉ. મંગલા ગોમારેએ જણાવ્યું હતું કે ચોમાસાના રોગને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્ય વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે. નાગરિકો પણ પોતાના પરિસરને સ્વચ્છ રાખે. પરિસરમાં પાણી જમા ન થાય તેનું ધ્યાન રાખવું.મુંબઈમાં ઓમિક્રોન વાયરસે ચિંતા ફેલાવી દીધી છે. પરંતુ હાલમાં મલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રોના વધેલા દરદીઓની સંખ્યા નિયંત્રણમાં આવતી ન હોવાનું જણાઈ રહ્યું છે. મુંબઈમાં ગત પાંચ દિવસમાં મલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રોના ૧૧૮ દરદીઓ મળી આવ્યા છે. જેમાંથી એક પણ દરદીનું મોત થયું નથી. પરંતુ આ બીમારીઓ નિયંત્રણમાં લાવવાનો પડકાર મહાપાલિકા સમક્ષ છે. પાંચ ડિસેમ્બર સુધીમાં મલેરિયાના ૪૯૬૧ દરદીઓ નોંધાયા છે.

ડબલ્યુએચઓ ના મતે જેમને કોરોના થઈ ચુક્યો હોય તેમને ઓમિક્રોનનું જાેખમ વધુ
 

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version