Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈમાં મરાઠીઓની વસ્તીમાં આવ્યો ઘટાડો, નવા પ્રોજેક્ટ્સમાં 50 ટકા મકાનો અનામત રાખવા જોઈએ, શિવસેના UBTના આ નેતાએ કરી માંગ..

Mumbai: શિવસેના (UBT)ના નેતા અનિલ પરબે ઘટતી વસ્તીને કારણે મુંબઈના નવા રહેણાંક પ્રોજેક્ટ્સમાં મરાઠી ભાષી લોકો માટે 50% અનામતની માગણી કરે છે અને માટે રાજ્ય વિધાનસભામાં ખાનગી બિલ પણ રજુ કર્યું છે.

Marathi population has decreased in Mumbai, 50 percent houses should be reserved in new projects, this leader of Shiv Sena UBT has demanded

Marathi population has decreased in Mumbai, 50 percent houses should be reserved in new projects, this leader of Shiv Sena UBT has demanded

News Continuous Bureau | Mumbai

Mumbai: લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ, વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA) એ ફરી એકવાર મુંબઈમાં ચાલી રહેલી વિધાન પરિષદ અને મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મુંબઈમાં મરાઠી ભાષીઓની ઘટતી વસ્તીનો ( Marathi Population ) મુદ્દો ઉઠાવ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને મહાવિકાસ અઘાડીના મુંબઈ ગ્રેજ્યુએટ મતવિસ્તારના ઉમેદવાર અનિલ પરબે મુંબઈમાં ઘર ન મળવાને કારણે મરાઠી લોકોના સ્થળાંતરને રોકવા માટે રાજ્ય વિધાનસભામાં ખાનગી બિલ રજૂ કર્યું છે. જેમાં મુંબઈમાં બની રહેલી નવી ઈમારતોમાં મરાઠી લોકો માટે 50 ટકા આરક્ષણની માંગ કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

અનિલ પરબે ( Anil Parab ) આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, આ પગલું એ સુનિશ્ચિત કરશે કે મુંબઈમાં મરાઠી લોકોની ટકાવારી વધુ ઘટે નહીં. પરબે બિલ દ્વારા કાયદો બનાવવાની માંગ પણ કરી છે, જેમાં ડેવલોપર માટે મરાઠી લોકો માટે ઘર ( Mumbai House ) અનામત ( House Reservation ) રાખવાનું ફરજિયાત કરવામાં આવે. પરબે બિલમાં વધુમાં કહ્યું હતું કે,  જો કોઈ ડેવલપર આમ કરવામાં નિષ્ફળ જાય તો કાયદામાં છ મહિનાની જેલ અથવા 10 લાખ રૂપિયાનો દંડ અથવા બંનેની જોગવાઈ હોવી જોઈએ. આ બિલ પાછળનો હેતુ સમજાવતા તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, તાજેતરના સમયમાં મુંબઈમાં મરાઠી લોકોને ધર્મના આધારે મકાન ન આપવાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. 

Mumbai: ધર્મ અથવા ખોરાકની પસંદગીના આધારે કોઈપણ ભેદભાવ ગેરબંધારણીય છે….

અનિલ પરબે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધર્મ અથવા ખોરાકની પસંદગીના આધારે કોઈપણ ભેદભાવ ગેરબંધારણીય છે. તેમણે આગળ કહ્યું હતું કે, ડેવલોપરે જાણીજોઈને મરાઠી લોકોને ઘર આપવાનો ઈન્કાર કરવાની સ્પષ્ટ પેટર્ન છે. આ બિલમાં તેમણે વિલેપાર્લેમાં મરાઠી લોકોને મકાનો આપવાનો એક બિલ્ડર દ્વારા ઇન્કાર કરવાની તાજેતરની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હત, જેની પાછળનું કારણ એ હતું કે તે મરાઠી લોકો માંસાહારી હતા. વિલે પાર્લેના મરાઠી લોકોએ આ મામલે બિલ્ડર સામે વિરોધ કર્યો હતો. તેમજ મરાઠી લોકોએ દાવો કર્યો હતો કે મીડિયા દ્વારા આ મુદ્દો પ્રકાશિત થયા પછી ડેવલોપરે માફી માંગી હતી અને સરકારે હજુ સુધી તેની નોંધ લીધી નથી. 

આ સમાચાર પણ વાંચો :  Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (પીએમએવાય-યુ)ની પ્રગતિ, ઘરનું ઘર બનાવવાની યોજના હેઠળ કુલ આટલા કરોડ મકાનોને મંજૂરી..

 વધુમાં, તેમણે જણાવ્યું હતું કે બેથી પાંચ હજાર ચોરસ ફૂટના ભવ્ય એપાર્ટમેન્ટ્સ બનાવવાને બદલે, જે ખૂબ જ વસૂલવામાં આવે છે. ડેવલોપરે મધ્યમ આવક ધરાવતા મરાઠી પરિવારો માટે 500 થી 700 ચોરસ મીટરના ફ્લેટ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવે રાજ્યમાં ચાર વિધાન પરિષદની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.  જેમાં અનિલ પરબ મુંબઈ ગ્રેજ્યુએટ મતવિસ્તારમાંથી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ( Shiv Sena ( UBT ) અને MVA ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર 26 જૂને મતદાન થશે.

 

Kalyan Building Collapse કલ્યાણમાં મોટી દુર્ઘટના ટળી જર્જરિત ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી, વીડિયો વાયરલ.
Gold Scam in Zaveri Bazaar ઝવેરી બજારની પ્રતિષ્ઠિત પેઢીના મેનેજરે આચર્યું ₹5.80 કરોડનું સોનાનું કૌભાંડ!
Investment Scam in Mumbai રોકાણના નામે મોટું કૌભાંડ RBI ના બોગસ સર્ટિફિકેટ બતાવી વેપારીને ફસાવ્યો, મુંબઈ પોલીસની તપાસ તેજ.
Mumbai Fort Accident દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં ભયાનક અકસ્માત, મર્સિડીઝ કાર અને સ્કૂલ બસ વચ્ચે ટક્કર!
Exit mobile version