News Continuous Bureau | Mumbai
Mira Bhayandar mini cluster scheme પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી છે કે મિરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરાયેલી ક્લસ્ટર યોજના હેઠળ, હવે ઓછામાં ઓછા પાંચ ઇમારતોના જૂથને ‘મિની ક્લસ્ટર’ તરીકે માન્યતા આપવામાં આવશે અને તેમને ક્લસ્ટર યોજનાના તમામ લાભો આપવાના પ્રયાસો કરવામાં આવશે. આ નિર્ણયથી જોખમી ઇમારતોના પુનર્વિકાસ અને સ્થળાંતર પ્રક્રિયાને મોટી ગતિ મળશે.
આ બેઠકમાં રિવહન મંત્રી પ્રતાપ સરનાઈક ઉપરાંત નગર વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ અસિમ કુમાર ગુપ્તા, મિરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર રાધા વિનોદ શર્મા સહિત અન્ય અધિકારીઓ અને ભૂતપૂર્વ નગરસેવકો હાજર રહ્યા હતા.
મંત્રી પ્રતાપ સરનાઈકે આ બેઠક માં જણાવ્યું કે, મિરા-ભાઈંદર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓછામાં ઓછા પાંચ ઇમારતોનું જૂથ બનાવીને તેમને એકીકૃત વિકાસ, નિયંત્રક અને પ્રોત્સાહન નિયમાવલી (UDCPR) અનુસાર ક્લસ્ટર યોજનાના લાભો આપવામાં આવશે. આ ઉપરાંત તેમને નગર વિકાસ વિભાગને આ અંગેનો સુધારેલો પ્રસ્તાવ તાત્કાલિક તૈયાર કરીને મંજૂર કરવાના નિર્દેશ આપ્યા છે.
આ નિર્ણય મુજબ, 30 વર્ષ કે તેથી વધુ સમયની જૂની, અસુરક્ષિત અને ગીચ વસ્તીવાળી ઇમારતોના ઓછામાં ઓછા પાંચ ઇમારતોના જૂથને ‘મિની ક્લસ્ટર’ તરીકે વિકસાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
હાલમાં આવા રહેવાસીઓ માટે સ્થળાંતરની જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ અનેક સ્થળોએ હંગામી ‘સ્ટેજિંગ એરિયા’ના અભાવે નાગરિકોની મુશ્કેલીઓ વધી રહી હતી. જોકે, ક્લસ્ટર મોડેલનો વ્યાપ વધારીને આ સમસ્યાઓ તબક્કાવાર રીતે હલ કરવામાં આવી રહી છે.
આ નિર્ણયને કારણે આગામી સમયમાં જોખમી ઇમારતોના પુનર્વિકાસની ગતિ વધશે અને મિરા-ભાઈંદરને ઝૂંપડપટ્ટી મુક્ત શહેરની દિશામાં આગળ વધવામાં મદદ મળશે.
