ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 માર્ચ 2021
મુંબઈની લોકલ ટ્રેન સર્વિસ સુધરે તે માટે સરકારે એમયુટીપી હેઠળ રેલવેને 47 એર કન્ડિશનર ટ્રેન ખરીદવાની મંજુરી આપી હતી.
હાલ મુંબઈ શહેરમાં ૧૦થી વધુ એર કન્ડિશનના નવા રેક ધુળ ખાઈ રહયા છે. લોકોના ટેક્સના પૈસે થી પ્રશાસને આ મોંઘામૂલા ટ્રેનના ડબ્બા ખરીદ્યા હતા. જોકે રેલવે પ્રશાસને તેને કદી પાટા પર ઉતાર્યા જ નહીં.
અરે વાહ!! હવે સ્લો ટ્રેક પર પણ એસી લોકલ દોડશે. જાણો વિગત.
આ સંદર્ભે એવું માનવામાં આવી રહ્યું છે કે એર કન્ડીશન ટ્રેન ની સર્વિસ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે તો અન્ય ટ્રેન ધીમી પડી જાય તેમ છે. આ પરિસ્થિતિમાં લોકો નો ગુસ્સો ફૂટી નીકળશે. આથી લોકલ ટ્રેન ચલાવવા માં નથી આવતી.
