News Continuous Bureau | Mumbai

Gopal Shetty: સાંસદ ગોપાલ શેટ્ટીએ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને મુંબઈ શહેરમાં મોડી રાત સુધી નવરાત્રિની ઉજવણી કરવા પરવાનગીની વિનતી કરેલ છે

Gopal Shetty: સાં.ગોપાલ શેટ્ટીના ઉત્તર મુંબઈ મતવિસ્તારમાં નાની સોસાયટી, રેસિડેન્ટ એસોસિએશન, બિલ્ડિંગ એરિયાથી લઈને મોટા મેદાન સુધી દર વર્ષે નવરાત્રિ ઉત્સવના આયોજનો થતાં હોય છે. સાં.ગોપાલ શેટ્ટીએ આ સંદર્ભે મુખ્ય પ્રધાન શ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન શ્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ પત્ર દ્વારા માગણી કરી છે.

MP Gopal Shetty has written to Chief Minister Shri Eknath Shinde seeking permission to celebrate Navratri till late night in Mumbai

News Continuous Bureau | Mumbai 

Gopal Shetty: સાંસદ શેટ્ટીએ પત્રમાં કહ્યું છે કે “મુંબઈ ( Mumbai ) શહેરમાં રાત્રે ૧૨ વાગ્યા સુધી સોસાયટીમાં નવરાત્રિ ઉત્સવ ( Navratri festival )  ઉજવવાની મંજૂરી ( permission ) આપવી જોઈએ. મુંબઈ શહેરની એકંદર પરિસ્થિતિ મુજબ, લોકો પોતાના વ્યવસાય ધંધા પૂર્ણ કર્યા પછી રાત્રે ૯ થી ૧૦ વાગ્યા સુધીમાં ઘરે પહોંચતા હોય છે. નવરાત્રિનો તહેવાર કાયદા મુજબ રાત્રે ૧૦ વાગ્યે બંધ થઈ જવાને કારણે ઘણા લોકો આ તહેવારનો લાભ લઈ શકતા નથી. મુંબઈ શહેરમાં અને ખાસ કરીને ઉપનગરોમાં મોટી સોસાયટીઓના રહેવાસીઓ નવરાત્રીની ઉજવણી કરે છે. અને તે નાગરિકો એવી અપેક્ષા રાખે છે કે મધરાત ૧૨ સુધી ઓછા ડેસિબલ અવાજમાં મંજૂરી આપવામાં આવે.”

Join Our WhatsApp Channel

   સાં.ગોપાલ શેટ્ટીને અનેક સોસાયટીના રહેવાસીઓના સંગઠનો તરફથી પત્રો મળ્યા છે અને તેને પણ પોતાના નિવેદન સાથે જોડ્યા છે. વધુમાં, સાં.ગોપાલ શેટ્ટીએ મંત્રીદ્વયને લખેલા તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે,

“હું તમને સોસાયટી, રહેવાસી સંઘોના પ્રાંગણમાં નવરાત્રિ ઉત્સવને નિયમો અનુસાર ઓછા અવાજે ૧૨ વાગ્યા સુધી ઉજવવા માટે વિશેષ પરવાનગી આપવા વિનંતી કરું છું. 

  MP Gopal Shetty has written to Chief Minister Shri Eknath Shinde seeking permission to celebrate Navratri till late night in Mumbai

MP Gopal Shetty has written to Chief Minister Shri Eknath Shinde seeking permission to celebrate Navratri till late night in Mumbai

 

આ સમાચાર પણ વાંચો :  Nitin Gadkari: જેને વોટ આપવો હોય એ આપે, ન આપવો હોય તો ના આપે, પણ 2024માં નહીં કરું આ કામ: નીતિન ગડકરીનું મોટું એલાન..જાણો શું છે આ મામલો. વાંચો વિગતે અહીં..

૧૦ વાગ્યા સુધી કોમર્શિયલ નવરાત્રી ઉત્સવ ( Commercial Navratri festival ) બંધ કરલરાવો તે વ્યવહારુ છે કારણ કે તેઓ ખૂબ જ ઊંચા અવાજે ઉજવણી કરતા હોય છે.

  પરંતુ મને નથી લાગતું કે સોસાયટી વિસ્તારમાં ઓછા ડેસિબલ અવાજમાં ઉજવણી કરવામાં કોઈ વાંધો હોવો જોઈએ.”

આ પત્ર દ્વારા માગણી કર્યાથી અનેક નાગરિકો અને ઈમારતમાં નાના પાયે નવરાત્ર ઉત્સવ ઉજવતા ખેલૈયાઓને મોદી રાત સુધી નવરાત્રી ઉજવવાની અનુમતીની આશા જાગી છે

Traffic Violation Atal Setu અટલ સેતુ પર જોખમી સ્ટંટ પ્રતિબંધ હોવા છતાં રોંગ સાઈડમાં ૧૦૦ કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે બાઈક ચલાવી, નંબર પ્લેટ પણ છુપાવી; જુઓ વિડીયો..
Dindoshi Unauthorized Dargah Demolition દિંડોશીમાં કાયદો અને વ્યવસ્થાના કડક બંદોબસ્ત વચ્ચે દરગાહનું અનધિકૃત બાંધકામ જમીનદોસ્ત
MTNL Bogus Work Order Cable Theft MTNL ના બોગસ વર્ક ઓર્ડરથી ₹૯ લાખના કેબલની ચોરી બે આરોપીઓની ધરપકડ
Goregaon Cyber Fraud ગોરેગાંવમાં યુવતીની ચાલબાજી સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવીને કોલેજિયન યુવક પાસેથી લાખો રૂપિયા પડાવ્યા
Exit mobile version