Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓની ચિંતા વધી; મ્યુકરમાયકોસીસના કારણે 59 જણનાં મૃત્યુ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 જૂન 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

કોરોના દરમિયાન મ્યુકરમાયકોસીસ (બ્લૅક ફંગસ) મુંબઈ તેમ જ રાજ્યના અનેક ભાગોમાં જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં આ મ્યુકરમાયકોસીસને કારણે કુલ 59 લોકોએ જીવ ગુમાવ્યા છે. એમાંથી 17 દર્દી મુંબઈના અને 42 દર્દીઓ મુંબઈ બહારના છે. પાલિકાની હૉસ્પિટલમાં 37 જણ મૃત્યુ પામ્યા છે, એમાંથી દસ દર્દીઓ મુંબઈના છે, તો બાકીના 27 દર્દીઓ મુંબઈ છે. ખાનગી હૉસ્પિટલમાં 22 જણનાં મૃત્યુ મ્યુકરમાયકોસીસને કારણે થતાં એમાંથી સાત મુંબઈના છે, તો 15 જણ મુંબઈ બહારના છે.

મ્યુકરમાયકોસીસના કુલ 497 દર્દીઓ પાલિકાની હૉસ્પિટલમાં છે, એમાંથી 150 દર્દીઓ મુંબઈના છે. છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રકારના દર્દીઓનું દાખલ થવાનું પ્રમાણ ઘટ્યું છે, પણ અટક્યું નથી. જોકે દવાઓ હજી  સરળતાથી મળતી નથી.   

તો શું 2022માં થનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લંબાઈ જશે? જાણો વધુ વિગત

મળતી માહિતી પ્રમાણે ખાનગી અને સાર્વજનિક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થનારા દર્દીઓમાંથી 42 જણને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં સારવાર લઈ રહેલ દર્દીઓની સંખ્યા 357 જેટલી છે એમાંથી મુંબઈના 111 છે તો 246 દર્દીઓ મુંબઈ બહારના છે.

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version