Site icon News Continuous Bureau | Mumbai

Mumbai 26/11 Attacks: 15 વર્ષ પહેલા આજના દિવસે મુંબઈ પર થયો હતો આતંકવાદી હુમલો… જાણો તે ગોઝારા દિવસનો સંપુર્ણ ઘટનાક્રમ…

Mumbai 26/11 Attacks: ભારતમાં '26 નવેમ્બર 2008' એક એવી તારીખ છે કે તેને યાદ કરતાં દરેકની આંખો ઉદાસ થઈ જાય છે, આંખો સામે આતંકની તસવીરો તરવરવા લાગે છે. આ તારીખ દેશની આર્થિક રાજધાની મુંબઈના જૂના ઘાને ઉજાગર કરે છે. આજના દિવસે, 15 વર્ષ પહેલા, મુંબઈમાં વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાઓમાંના એકનું સાક્ષી બન્યું હતું…

Mumbai 2611 Attacks 15 years ago today, there was a terrorist attack on Mumbai... Know the complete history of that black day...

Mumbai 2611 Attacks 15 years ago today, there was a terrorist attack on Mumbai... Know the complete history of that black day...

News Continuous Bureau | Mumbai

Mumbai 26/11 Attacks: ભારતમાં ’26 નવેમ્બર 2008′ એક એવી તારીખ છે કે તેને યાદ કરતાં દરેકની આંખો ઉદાસ થઈ જાય છે, આંખો સામે આતંકની તસવીરો તરવરવા લાગે છે. આ તારીખ દેશની આર્થિક રાજધાની મુંબઈના જૂના ઘાને ઉજાગર કરે છે. આજના દિવસે, 15 વર્ષ પહેલા, મુંબઈમાં વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાઓમાંના ( terrorist attacks ) એકનું સાક્ષી બન્યું હતું.

Join Our WhatsApp Channel

પાકિસ્તાનમાં પ્રશિક્ષિત અને અત્યાધુનિક હથિયારોથી સજ્જ લશ્કર-એ-તૈયબાના ( Lashkar-e-Taiba ) 10 આતંકવાદીઓ ( terrorists ) બોટની મદદથી દરિયાઈ માર્ગે મુંબઈમાં ઘૂસ્યા હતા અને ઘણી જગ્યાએ તેમના આતંક અને ક્રૂરતાના નિશાન છોડી ગયા હતા. તેઓએ ભીડભાડવાળી જગ્યાઓ અને પ્રતિષ્ઠિત ઈમારતોને નિશાન બનાવી હતી. આ હુમલો અને તેમને મારવાનો સંઘર્ષ ચાર દિવસ સુધી ચાલ્યો હતો.

આ આતંકવાદી હુમલાઓમાં 160 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા. 26 નવેમ્બર 2008ની એ રાત્રે મુંબઈમાં બધું સામાન્ય હતું. એકાએક આખા શહેરમાં અરાજકતા અને ભયનો માહોલ સર્જાયો હતો. શરૂઆતમાં કોઈને ખ્યાલ નહોતો કે મુંબઈમાં આટલો મોટો આતંકવાદી હુમલો થયો છે. લગભગ 10 વાગ્યાની આસપાસ, સમાચાર આવ્યા કે બોરી બંદરમાં એક ટેક્સીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ડ્રાઇવર અને બે મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. 20 મિનિટ પછી, સમાચાર આવ્યા કે વિલે પાર્લે વિસ્તારમાં એક ટેક્સીમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે ડ્રાઇવર અને એક મુસાફરનું મૃત્યુ થયું હતું. આ બંને હુમલામાં 15 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. આ પછી, મુંબઈમાં ઘણી જગ્યાએ ગોળીબારની ઘટનાઓ સામે આવી, ત્યારે મુંબઈ પોલીસ અને ઈન્ટેલિજન્સે જાણ્યું કે આ એક મોટો આતંકવાદી હુમલો છે. હુમલાખોરોએ મુંબઈની બે ફાઈવ સ્ટાર હોટલ ઓબેરોય ટ્રાઈડેન્ટ અને તાજ, છત્રપતિ શિવાજી રેલ્વે સ્ટેશન, નરીમાન હાઉસ જ્યુઈશ સેન્ટર, લિયોપોલ્ડ કાફે અને કામા હોસ્પિટલને નિશાન બનાવી હતી.

આમિર અજમલ કસાબ ( Amir Ajmal Kasab ) જીવતો પકડાયો હતો…

તાજ હોટલમાં 450 મહેમાનો અને ઓબેરોય ટ્રાઇડેન્ટમાં 380 મહેમાનો હાજર હતા. જ્યારે આતંકવાદીઓએ આ બંને સ્થળોએ હુમલો કર્યો હતો. તાજ હોટલના ગુંબજમાંથી નીકળતો ધુમાડો મુંબઈ આતંકવાદી હુમલાનું પ્રતીક બની ગયો હતો. બે આતંકવાદીઓએ લિયોપોલ્ડ કાફે પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. અહીં લગભગ 10 લોકોના મોત થયા છે. આ કાફે 1887 થી કાર્યરત છે અને મોટે ભાગે વિદેશી મહેમાનો દ્વારા અહીં મુલાકાત લેવામાં આવે છે. અજમલ આમિર કસાબ અને ઈસ્માઈલ ખાન સીએસએમટી સ્ટેશન પર ફાયરિંગમાં સામેલ હતા, જેમાં 58 લોકોના જીવ ગયા હતા.

આ સમાચાર પણ વાંચોઃ Rajasthan Election 2023: રાજસ્થાનમાં બમ્પર વોટિંગ, ગેહલોતની ખુરશી ગઈ? જાણો શું કહે છે ટ્રેન્ડ….

મુંબઈ પર આતંકવાદી હુમલાના સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા હતા. પોલીસ અને ઇન્ટેલિજન્સ તેમની કામગીરી શરૂ કરી દીધી હતી. આ ક્રમમાં ચાર હુમલાખોરો પોલીસ વાનને હાઇજેક કરીને કામા હોસ્પિટલમાં ઘૂસ્યા હતા. આ હોસ્પિટલની બહાર આતંકવાદીઓ સાથેની અથડામણમાં મુંબઈ ATSના વડા હેમંત કરકરે, મુંબઈ પોલીસના અશોક કામટે અને વિજય સાલસ્કર શહીદ થયા હતા. તે જ રાત્રે, સ્કોડા કારને હાઇજેક કરીને ભાગતી વખતે, સબ ઇન્સ્પેક્ટર તુકારામ ઓમ્બલેએ આમિર અજમલ કસાબને જીવતો પકડ્યો અને તેની સાથે આવેલો આતંકવાદી માર્યો ગયો હતો. આ દરમિયાન કસાબે તુકારામને ગોળી મારી દીધી, જેના કારણે તેમનું પણ ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

મુંબઈ આતંકવાદી હુમલાનો સૌથી મોટો પડકાર તાજ હોટેલ અને ઓબેરોય ટ્રાઈડેન્ટમાં ફસાયેલા લોકોને અને ત્યાં હાજર આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો હતો. આ માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે એનએસજી (NSG) ના કમાન્ડોએ ચાર્જ સંભાળ્યો હતો. ઓબેરોય હોટલમાં એનએસજીએ બંને આતંકવાદીઓને ઠાર કર્યા અને તમામ બંધકોને છોડાવ્યા હતા, પરંતુ તાજ હોટેલમાં આ ઓપરેશન લાંબા સમય સુધી ચાલ્યું હતું. 4 આતંકવાદીઓએ તાજમાં ઘૂસીને 31 લોકોને ઠાર કર્યા હતા. તેઓએ હોટલના એક ભાગમાં ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. આ હોટલમાં ઓપરેશન દરમિયાન મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન શહીદ થયા હતા. અહીં 29 નવેમ્બરની સવાર સુધીમાં NSGએ ચારેય આતંકીઓને ઠાર કર્યા હતા અને બંધકોને છોડાવી લીધા હતા.

આ રીતે, 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ 9 આતંકવાદીઓ માર્યા ગયા, આમિર અજમલ કસાબ જીવતો પકડાયો હતો. કસાબ પર કેસ ચલાવવામાં આવ્યો, કોર્ટે તેને મૃત્યુદંડની સજા સંભળાવી અને 21 નવેમ્બર 2012ના રોજ સવારે 7:30 વાગ્યે પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. પરંતુ આ હુમલામાં આ 10 આતંકવાદીઓ જ સામેલ ન હતા, તેમના હેન્ડલર પાકિસ્તાનમાં બેઠા હતા. હાફિઝ સઈદ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. જૈબુદ્દીન અંસારી ઉર્ફે અબુ જુંદાલ પાકિસ્તાનમાં બેસીને મુંબઈમાં આવેલા 10 આતંકવાદીઓને નિર્દેશિત કરી રહ્યો હતો. તહવ્વુર રાણાએ હથિયારોની વ્યવસ્થા કરી હતી. તે બધા હજી જીવિત છે. રાણા હાલમાં અમેરિકાની જેલમાં બંધ છે અને તેને ભારત પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ Cochin University Stampede: દુઃખદ ઘટના : કોચિંગની યુનિવર્સિટીમાં નાસ ભાગ, ચારના મોત. જાણો વિગતે શું થયું અહીંયા…

Mumbai Sion Hospital Sickle Attack।મુંબઈમાં માથામાં ખૂંપેલા દાતરડા સાથે યુવક રસ્તા પર ભટકતો દેખાયો; સાયન વિસ્તારમાં મચી ચકચાર
Kharghar Tragedy। ખારઘરમાં બેફામ ડમ્પરની ટક્કરે ૨૮ વર્ષીય યુવા વકીલનું કરૂણ મોત; રોષે ભરાયેલા લોકોના ચક્કાજામથી ટ્રાફિક ખોરવાયો
Navi Mumbai Cable Theft Scam 200 Crore। નવી મુંબઈમાં ૨૦૦ કરોડનું કેબલ ચોરી કૌભાંડ બેનકાબ તુર્ભેના જંગલમાં મધ્યરાત્રિએ પોલીસના દરોડા, ૩૫ની ધરપકડ
Borivali Book Fair Devi Eternity| બોરીવલીમાં પુસ્તક મેળો અને સાહિત્ય ગોષ્ઠિનો સમન્વય બુધવારે યોજાશે “નિબંધના ભાવવિશ્વમાં” કાર્યક્રમ
Exit mobile version