Site icon News Continuous Bureau | Mumbai

રેલવેએ પ્રવાસીઓને પૂછ્યો આ સવાલ; હાથ ધર્યો છે આ સર્વે, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

મુસાફરોના અભાવે એસી લોકલ ખાલી દોડી રહી છે. રેલવે માટે આ સ્થાનિક આવક કરતાં તેની જાળવણી જાળવવી મુશ્કેલ બની રહી છે, તો સેન્ટ્રલ રેલવેએ આ લોકોમોટિવ વિશે મુસાફરોનાં મંતવ્યો જાણવા ઑનલાઇન સર્વેની શરૂઆત કરી છે. ઑનલાઇન સર્વેમાં મુસાફરોને પૂછવામાં આવ્યું હતું કે એસી લોકલમાં કેટલા કોચ હોવા જોઈએ. આ લોકલનું ભાડું પોસાય તેમ ન હોવા છતાં, ભાડામાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ તેવો આશ્ચર્યજનક સવાલ પૂછવામાં આવ્યો છે.

હકીકતે હાલ ખાલી જતી આ લોકલને કારણે શું આ એસી લોકલને અડધા કોચ એસી અને અડધા નૉન એસીના મિશ્રિત રૂપે ચલાવી શકાય છે? રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ અંગે રેલવે બોર્ડને પૂછ્યું હતું. રેલવે બોર્ડ આ મામલે તપાસ કરી રહ્યું છે.એસી લોકલ વિશે મુસાફરોના અભિપ્રાય જાણવા માટે આ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ KBCની માફક પુછાયેલા સવાલના વિકલ્પ છે (એ) 3 એસી + 9NON એસી (બી) 6AC + 9NON એસી (સી) 6AC + 6NON એસી (ડી) બધા કોચ એસી હોવા જોઈએ.

પ્રદીપ શર્મા હિરાસતમાં અને શિવસેના ટૅન્શનમાં;  જાણો કનેક્શન એન્ટિલિયા વાયા શિવસેના ભવન ટુ NIA

ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલાં, તત્કાલીન રેલવે પ્રધાન સુરેશ પ્રભુના કાર્યકાળ દરમિયાન, દેશની પ્રથમ વાતાનુકૂલિત લોકલ ટ્રેન પશ્ચિમ રેલવેના વિરારથી ચર્ચગેટ રૂટ પર 25 ડિસેમ્બર, 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી.

AntiDrugs Awareness Campaign મુંબઈના નોર્થ ઝોન૩ માં ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન ૨૩ શાળાઓના ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા
Bandra Gang MCOCA Arrests બાંદ્રામાં આતંક મચાવનાર કુખ્યાત ગેંગ સામે મકોકા હેઠળ ગુનો નોંધાયો, ત્રણની ધરપકડ
Navi Mumbai Road Rage નવી મુંબઈના પામ બીચ રોડ પર ઓલા ડ્રાઇવર પર હુમલો કરી કારના બોનેટ પર ૨ કિલોમીટર સુધી ઘસડ્યો
Mumbai Digital Arrest Cyber Fraud મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે નિવૃત્ત અધિકારી સાથે ૫૧ લાખની સાયબર ઠગાઈ એકની ધરપકડ
Exit mobile version