Site icon

Mumbai Air Pollution : દિલ્હી કરતા પણ મુંબઈમાં ખતરનાક બન્યું વાયુ પ્રદુષણ, બોરીવલી સહિત આ વિસ્તાર સૌથી વધુ પ્રદુષિત..

Mumbai Air Pollution : હાઈકોર્ટના આદેશ બાદ પાલિકા અને રાજ્ય સરકારે દિવાળી દરમિયાન રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે જ ફટાકડા ફોડવાના આદેશ જારી કર્યા હતા, પરંતુ શહેરીજનોએ તેની અવગણના કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સાંજે લક્ષ્મી પૂજન બાદ જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. ભારે આતશબાજીને કારણે મુંબઈ અને પુણેમાં હવાની ગુણવત્તા બગડી હતી.

toxic air in bkc,worli, chembur, borivali, 300 in worli and 254 in malad

toxic air in bkc,worli, chembur, borivali, 300 in worli and 254 in malad

News Continuous Bureau | Mumbai

Mumbai Air Pollution : પાટનગર દિલ્હી (Delhi) બાદ મુંબઇ શહેર (Mumbai city)માં પણ હવાની ગુણવત્તાના આંકડા ખાસ્સા ચિંતાજનક છે.  વધતા પ્રદૂષણને કારણે મુંબઈની હવાની ગુણવત્તામાં ભારે ઘટાડો થયો છે. શહેરમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 201 પર પહોંચી ગયો છે. આમાં, વરલીમાં AQI સૌથી વધુ એટલે કે 300 પર પહોંચી ગયો છે અને મલાડ, ચેમ્બુર, BKC અને બોરીવલી (Borivali) ની હવા સૌથી વધુ ઝેરી બની ગઈ છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં વધતા પ્રદૂષણને રોકવા માટે પાલિકા અને રાજ્ય સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે. બોમ્બે હાઈકોર્ટે (Bombay High court) પ્રદૂષણ અંગે નગરપાલિકા (BMC)ઓ અને રાજ્ય સરકારને ધ્યાનથી સાંભળી છે અને પગલાં અમલમાં મૂકવા માટે સમગ્ર સિસ્ટમને એક્શનમાં મૂકવામાં આવી છે. પરંતુ દિવાળી હોવાથી ફટાકડા (Firecrackers) નું પ્રમાણ વધી ગયું છે અને પ્રદુષણ પણ વધ્યું છે. 

નગરપાલિકાની ભૂમિકા પર ધ્યાન આપો

ફટાકડાના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે હાઈકોર્ટના આદેશ બાદ પાલિકા અને રાજ્ય સરકારે દિવાળી (Diwali) દરમિયાન રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે જ ફટાકડા ફોડવાના આદેશ જારી કર્યા હતા, પરંતુ શહેરીજનોએ તેની અવગણના કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સાંજે લક્ષ્મી પૂજન બાદ જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. ભારે આતશબાજીને કારણે મુંબઈ અને પુણેમાં હવાની ગુણવત્તા બગડી હતી. સોમવારે સવારથી જ મુંબઈની હવામાં મોટા પ્રમાણમાં ધુમાડો દેખાઈ રહ્યો હતો. મુંબઈ શહેર અને તેની આસપાસના ભાગોમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી ગઈ છે. આથી સ્પષ્ટ છે કે પ્રદૂષણમાં વધારો થયો છે. આથી હવે કોર્ટમાં પાલિકાની શું ભૂમિકા રહે છે તેના પર ધ્યાન કેન્દ્રિત છે.

આ સમાચાર પણ વાંચો : Uttarkashi Tunnel Collapse Day 5: 40 મજૂરો 106 કલાકથી ટનલમાં બંધ, હજુ સુધી એક પણ બહાર નથી આવ્યો, જાણો કેવી રીતે લડી રહ્યા છે જિંદગીની આ લડાઈ?

કેવી રીતે નોંધાય છે એર ક્વોલિટી 

એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) નો ઉપયોગ હવાની ગુણવત્તા માપવા માટે થાય છે. 0 થી 50 ના ‘AQI’ને ‘ખૂબ જ સ્વચ્છ હવા’ ગણવામાં આવે છે. 101 થી 200 નું AQI ‘મધ્યમ હવા ગુણવત્તા’ માનવામાં આવે છે, 201 થી 300 ની AQI ‘નબળી’ હવા માનવામાં આવે છે. જ્યારે 301 થી 400 AQI સુધીની હવા ખૂબ નબળી માનવામાં આવે છે.

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version