ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 માર્ચ 2021
મુંબઈ શહેરના બાંદ્રા વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ બૅકરી એટલે કે કરાચી બેકરી હવે બંધ થઈ ગઈ છે. આ બેકરી ગત દિવસોમાં વિવાદમાં રહી હતી. જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા પાકિસ્તાનના શહેર નું નામ બેકરીને છે તે કારણ હેઠળ બેકરી નો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ બેકરી હૈદરાબાદ સ્થિત કરાચી બેકરી નો એક ભાગ હતો. બેકરી કેમ બંધ થઈ છે તે વિશે જણાવતા બેકરી સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે કોરોના ને કારણે ખૂબ નુકસાન થયું છે આ ઉપરાંત જમીન માલિક ઘણું ઊંચું ભાડું માંગી રહ્યા છે. આ કારણથી અમે બેકરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
હવે સ્વાદના રસિયાઓને આ બેકરીની આઈટમ ખાવા નહીં મળે.
