Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: સાવધાન! મુંબઈને સાફ રાખવા માટે ફરી થશે ક્લિન અપ માર્શલની નિયુક્તિ….. જાણો વિગતે..

Mumbai: મુંબઈમાં અસ્વચ્છતા ફેલાવનારાઓ સામે દંડાત્મક પગલાં લેવા માટે 'ક્લિન અપ માર્શલ'ની નિમણૂક કરવામાં આવશે. તે દરખાસ્તને મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે મંજૂરી આપી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 1 ડિસેમ્બરથી મુંબઈમાં ક્લીન અપ માર્શલો તૈનાત કરવાની યોજના બનાવી છે.

mumbai: bmc will place swachchata doot instead of clean up marshals in the city

હાશ.. મુંબઈમાં ક્લીન અપ માર્શલોની દાદાગીરી ખતમ, પાલિકાએ હવે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આ લોકોને સોંપી..

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈ (Mumbai) માં અસ્વચ્છતા ફેલાવનારા (Pollutants) ઓ સામે દંડાત્મક પગલાં લેવા માટે ‘ક્લિન અપ માર્શલ’ (Clean Up Marsal) ની નિમણૂક કરવામાં આવશે. તે દરખાસ્તને મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે મંજૂરી આપી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 1 ડિસેમ્બરથી મુંબઈમાં ક્લીન અપ માર્શલો તૈનાત કરવાની યોજના બનાવી છે. જેના કારણે 21 મહિના બાદ ફરીથી ક્લીન અપ માર્શલની દંડાત્મક કાર્યવાહી શરૂ થશે.

Join Our WhatsApp Channel

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના 24 વોર્ડમાં 720 માર્શલની નિમણૂક કરવામાં આવશે, દરેકમાં 30 ક્લીન અપ માર્શલ રાખવામાં આવશે. ખાનગી સંસ્થાઓ દ્વારા તેમની નિમણૂંક કરવાની હોવાથી પાલિકાને પણ આવક થશે. દંડના 50 ટકા રકમ પાલિકાને મળશે. બાકીની આવક ખાનગી સંસ્થાને મળશે. વિવિધ કારણોસર અસ્વચ્છતા ફેલાવનારાઓ સામે 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. કચરો ફેંકવા કે થૂંકવા પર 200 રૂપિયાનો દંડ થશે. ઉપરાંત, જાહેરમાં શૌચ કરવા, પક્ષીઓને ખોરાક આપવા, રસ્તા પર વાહનો ધોવા વગેરે માટે દંડ વસૂલવામાં આવશે.

 મુંબઈમાં લગભગ 1000 ક્લીન અપ માર્શલની નિમણૂક કરવાની યોજના છે….

મુંબઈમાં 24 વિભાગો છે અને દરેક નાગરિક વિભાગમાં ક્લીન અપ માર્શલની નિમણૂક કરવાની યોજના 2007 માં શરૂ કરવામાં આવી હતી. 2011 માં તેમની વિરુદ્ધ ફરિયાદોને કારણે આ સેવા બંધ કરવામાં આવી હતી અને પછી 2016 માં આ યોજનાને ફરીથી અમલમાં લાવવામાં આવી હતી. 2020 માં, ક્લીન અપ માર્શલ્સને કોરોના સમયગાળા દરમિયાન માસ્કનો ઉપયોગ ન કરનારાઓ સામે 200 રૂપિયાનો દંડ લાદવાની સત્તા આપવામાં આવી હતી. તે સમયે 779 ક્લીન અપ માર્શલની નિમણૂક કરવામાં આવી હતી. જોકે, નજીવા કારણોસર દંડ, ઝઘડા, છેડતી સહિતની અનેક નાગરિકો તરફથી ફરિયાદો મહાનગરપાલિકામાં આવવા લાગી હતી. તેથી માર્ચ 2022 માં, કોરોના વાયરસ શમી ગયા પછી કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા અને યોજના બંધ કરવામાં આવી હતી. હવે ફરીથી ક્લીન અપ માર્શલની નિમણૂક કરવામાં આવશે, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેને મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે મંજૂરી આપી છે.

મુંબઈમાં લગભગ 1000 ક્લીન અપ માર્શલની નિમણૂક કરવાની યોજના છે. પ્રથમ તબક્કામાં 720 ક્લીન અપ માર્શલની નિમણૂક કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર અન્ય માર્શલની નિમણૂંક કરવામાં આવશે. છેલ્લા આઠ-નવ મહિનાથી કોર્પોરેશન દ્વારા ક્લીન અપ માર્શલની નિમણૂક માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. મુંબઈને સ્વચ્છ અને ચમકદાર રાખવા માટે જનજાગૃતિ અને અન્ય કાર્યો માટે એપ્રિલમાં મહાનગરપાલિકાએ ‘સ્વચ્છતા દૂત’ ની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે ક્લિન અપ માર્શલ દ્વારા હવે સીધી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે.

Miraculous rescue of toddler વિરારમાં ત્રીજા માળેથી નીચે પછડાયેલા ૧૮ મહિનાના માસૂમ બાળકનો શેડ પર પડવાથી ચમત્કારિક બચાવ
Borivali birthday firing incident બોરિવલીમાં જન્મદિવસની પાર્ટીમાં એર ગન ફાયર, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો, આરોપી ઝડપાયો
MCOCA invoked against gang મુંબઈમાં સંગઠિત અપરાધ સામે મોટી કાર્યવાહી, કુખ્યાત ગેંગના ૧૨ સભ્યો સામે ‘મોકા’ અંતર્ગત ગુનો દાખલ
Salon worker suicide case સેલોન કર્મચારીના આપઘાત મામલે છ મહિના બાદ ચાર સહકર્મીઓ સામે ગુનો દાખલ
Exit mobile version