Site icon

 મેટ્રો નું કામ ખોરંભે ચડ્યું તો રોડનું કામ જોરદાર ચાલુ છે. જાણો કેટલું કામ પત્યું અને પ્રગતિ કેટલી થઈ.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

21 ડિસેમ્બર 2020 

મુંબઈનો મહત્વાકાંક્ષી આઠ-માર્ગીય દરિયાકાંઠાના માર્ગ પ્રોજેક્ટનું કામ લગભગ 17 ટકા પૂર્ણ થઈ ગયું છે. 12,000 કરોડના પ્રોજેક્ટની સ્થિતિ અંગે મનપા કમિશ્નર ચહલે જણાવ્યું હતું કે દરિયાકાંઠાનો રસ્તો "જુલાઈ 2023 માં કાર્યરત થઈ જશે" નવેમ્બર સુધીમાં રૂ. 1,281 કરોડના ખર્ચે ઝડપી કામ કરવામાં આવ્યું છે. ચહલના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં લગભગ 175 એકર જમીન અરબી સમુદ્રમાંથી મેળવવામાં આવી છે અને અન્ય 102 એકર જમીન ફરીથી મેળવી લેવામાંની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયું છે. ચહલે વધુમાં જણાવ્યું હતું કે  39.6 મીટર લાંબી ટનલ તૈયાર કરી છે જે હવે ભારતમાં સૌથી મોટી હશે. 

ઓક્ટોબર 2018 માં શરૂ થયેલ, દરિયાકાંઠાનો માર્ગ પ્રોજેક્ટ અગાઉ 2022 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ મુકદ્દમાને કારણે તેમા વિલંબ થયો છે. નોંધનીય છે કે, જુલાઈ 2019 માં બોમ્બે હાઈકોર્ટે પ્રોજેક્ટને અપાયેલી કોસ્ટલ રોડ ઝોન (સીઆરઝેડ) ની મંજૂરીઓને રદ કર્યા પછી પ્રોજેક્ટનું કામ અટકી ગયું હતું. 

 

અરજદારોએ દાવો કર્યો હતો કે બીએમસી અને રાજ્ય સરકારે પ્રોજેક્ટની જે યોજના બનાવવા મંજૂરી આપી એ  પહેલા શહેરના મુળ રહેવાસી એવા માછીમારો સાથે કોઈ સલાહ-સૂચન લેવામાં આવ્યા નથી. તેઓએ દાવો કર્યો હતો કે, એકવાર નિર્માણ થઇ જશે પછી તેઓની આજીવિકા છીનવાઈ જશે. 

મુંબઈના પશ્ચિમ દરિયાકાંઠે બનતાં આ માર્ગ માટે વરલી, ખાર દાંડા, ચિમ્બાઈ જેવા વિસ્તારો અને મરીન ડ્રાઇવ અને કાંદિવલી વચ્ચેના અન્ય ઘણા સ્થળોએ અગણિત માછીમારોની આજીવિકાને અસર થશે. 

8-લેન અને 29.2 કિલોમીટર લાંબા મુંબઈ કોસ્ટલ રોડ મુંબઈના પશ્ચિમ દરિયાકાંઠેથી દક્ષિણમાં મરીન લાઇન્સને ઉત્તરમાં કાંદિવલી સુધી જોડતો દોડશે. આ કોસ્ટલ રોડ દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ ઉપનગરો વચ્ચે થતો મુસાફરી માટેનો ઘણો મોટો સમય બચી જશે.

Vikhroli: વિક્રોલીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન દુર્ઘટના: રમી રહેલી ૩ વર્ષની બાળકી પર લાઉડસ્પીકર પડતા મોત; આયોજકો સામે FIR.
Dahisar: દહિસરના અશોકવનમાં વાહનોમાં ભીષણ આગ: અનેક ટુ-વ્હીલરો બળીને ખાખ; નશાખોર તત્વોએ આગ લગાડી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.
SGNP: સંજય ગાંધી નેશનલ પાર્ક આદિવાસીઓ પર ઘર ગુમાવવાનું સંકટ:ના પ્રશાસનની બે દિવસની નોટિસથી વિવાદ; રજાઓનો લાભ ઉઠાવ્યાનો આક્ષેપ.
Malad Gas Cylinder Blast: મુંબઈના મલાડમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ફાટી નીકળી આગ: ૦૬ લોકો ગંભીર રીતે દાઝ્યા; માલવણી વિસ્તારમાં મચી દોડધામ.
Exit mobile version