Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Crime: મલાડમાં અગ્નિવીરની તાલીમ લઈ રહેલી મહિલાએ નેવી હોસ્ટેલમાં કરી આત્મહત્યા.. ઉઠ્યા અનેક સવાલો.. જાણો વિગતે

Mumbai Crime: અગ્નિવીર માટે નૌકાદળમાં તાલીમ લઈ રહેલી 20 વર્ષીય મહિલાએ મંગળવારે કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટના સમયે મહિલા INS હમલામાં ટ્રેનિંગ હેઠળ હતી…

Mumbai Crime A woman who was undergoing Agniveer training in Malad committed suicide in the Navy hostel.. many questions were raised

Mumbai Crime A woman who was undergoing Agniveer training in Malad committed suicide in the Navy hostel.. many questions were raised

News Continuous Bureau | Mumbai

Mumbai Crime: અગ્નિવીર ( Agniveer ) માટે નૌકાદળ ( Navy ) માં તાલીમ ( training ) લઈ રહેલી 20 વર્ષીય મહિલાએ ( woman ) મંગળવારે કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા ( Suicide ) કરી લીધી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટના સમયે મહિલા INS હમલા ( INS Hamla ) માં ટ્રેનિંગ હેઠળ હતી. મુંબઈ પોલીસે ( Mumbai Police ) જણાવ્યું કે માલવણી પોલીસે અકસ્માત મૃત્યુ રિપોર્ટ ( ADR ) નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની ઓળખ અપર્ણા નાયર તરીકે થઈ છે.

Join Our WhatsApp Channel

અપર્ણા નાયરના રૂમમેટના જણાવ્યા મુજબ, જ્યારે રુમમેટ તેના રૂમમાં પાછી આવી અને વારંવાર દરવાજો ખખડાવ્યો, ત્યારે નાયરે દેખીતી રીતે જવાબ આપ્યો ન હતો. બાદમાં તેણે અન્ય છોકરીઓ અને હોસ્ટેલ સ્ટાફને જાણ કરી જેમણે દરવાજો તોડ્યો અને ત્યાં નાયરનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ નેવીના ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. જેમણે અપર્ણાની તપાસ કરીને તેને મૃત જાહેર કરી હતી.

 આ મામલે તેના પ્રેમીની પૂછપરછ કે ધરપકડ કરવામાં આવી નથી..

સૂત્રોના જણાવ્યા અનુસાર, અપર્ણાને કોઈની સાથે પ્રેમ સંબંધ હતો અને તે સંબંધમાં મુશ્કેરલીઓ આવતા તેણે બેડશીટની મદદથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જો કે, આ મામલે તેના પ્રેમીની પૂછપરછ કે ધરપકડ કરવામાં આવી હોવાના કોઈ અહેવાલ નથી.

આ સમાચાર પણ વાંચોઃ Adani Group: માર્કેટ ખૂલતાની સાથે અદાણી ગ્રૂપના શેરોમાં આવ્યો 20% નો ઉછાળો… આ છે કારણ.. જાણો વિગતે અહીં..

અગ્નિવીર એ અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા સૈનિકો માટે વપરાતો શબ્દ છે. આ યોજનાની જાહેરાત 14 જૂન, 2022ના રોજ કરવામાં આવી હતી. સૈન્યમાં સેવા આપવાનો એકમાત્ર રસ્તો અગ્નિપથ યોજના છે. યોજના હેઠળ, સૈનિકો ચાર વર્ષ માટે સેવા આપે છે, જેમાં છ મહિનાની તાલીમ અને 3.5 વર્ષ તૈનાતનો સમાવેશ થાય છે. નિવૃત્તિ પછી, તેઓ સશસ્ત્ર દળોમાં પોતાની કામગીરી ચાલુ રાખવા માટે અરજી કરી શકે છે.

Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Heroin Seized In Versova વર્સોવામાંથી ₹૬૪.૬ લાખનું હેરોઇન જપ્ત એન્ટિનાર્કોટિક્સ સેલે બે ડ્રગ પેડલરોને ઝડપ્યા, નેટવર્કનો પર્દાફાશ
Mumbai Coastal Road Rash Driving મુંબઈ કોસ્ટલ રોડ પર પૂરપાટ ઝડપે કાર દોડાવનારા ચાલકો સામે ગુનો દાખલ રેસિંગ સ્ટાઈલમાં હંકારતા હતા વાહનો
Dahi Handi Traffic Crackdown Mumbai એક જ દિવસમાં ૧૮,૮૧૮ ચલાન અને ₹૧.૯૨ કરોડનો દંડ! દહી હાંડી દરમિયાન બેફામ બનતા વાહનચાલકો પર ટ્રાફિક પોલીસની સખત તવાઈ
Exit mobile version