Site icon

જે જમીન પર ઉદ્ધવ ઠાકરેને મેટ્રો કારશેડ બનાવવું છે તે જમીન 521 કરોડમાં વેંચાઈ ગઈ. જાણો વિગત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 જાન્યુઆરી 2021 

જ્યારથી મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ છે ત્યારથી મેટ્રો કાર શેડ માટેની જગ્યાને લઈને સતત વિવાદ રહ્યો છે. પહેલા ગોરેગાંવના આરે કોલોનીમાં આ શેડ બનવાનો હતો. પરંતું ઉદ્ધવ ઠાકરેની સરકારે પર્યાવરણ ને નુકશાનકારક ગણાવી તેને કાંજુરમાર્ગમાં સ્થળાંતર કરવાનું એલાન કર્યું હતું. હવે આ જગ્યાને લઈને જે ખબર સામે આવ્યાં છે તેનાથી ઉઘ્ધવ ઠાકરે સરકાર ભોંઠી પડી ગઈ છે. 

Join Our WhatsApp Community

રાજ્ય દ્વારા મેટ્રો કાર શેડ માટે ઉપયોગ કરવાની અપેક્ષા રાખેલી કંજુરમાર્ગ ની જમીન, ખાનગી વ્યક્તિના કબજામાં હતી. જે હવે એક જાણીતા બિલ્ડરે 521 કરોડમાં  ખરીદી લીધી છે. 

ખાનગી વ્યક્તિના કબજામાં રહેલી આ મીઠું ઉત્પન્ન કરવાની જમીન ગોરડીયા નામની વ્યક્તિ પાસે 500 એકર જમીન લીઝ્ડ પર હતી. જેના શાહપોરજી પાલનપુરજી મિસ્ત્રી ગ્રુપે જમીન અને વિકાસના અધિકારો મેળવ્યા છે.  અહીંની 500  એકરમાંથી રાજ્યએ મેટ્રો લાઇન 3 અને 6 માટે 102 એકરનો દાવો કર્યો છે, પરંતુ બોમ્બે હાઈકોર્ટે આ બોલી ફગાવી દીધી છે અને કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની દાવો કરાયેલી સંપત્તિને "છેતરપિંડી" ગણાવી છે.  

અગરિયાની જમીનનો એક ભાગ 1981 પહેલાં આકારણી દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો અને તેનો એક ભાગ 20 નવેમ્બર 1986 ના રોજ માનનીય અધિકાર ક્ષેત્રની હાઈકોર્ટના હુકમનામ મુજબ હસ્તગત કરવામાં આવ્યો હતો. સીઆરઝેડ રેગ્યુલેશન હેઠળની જમીનનો વિકાસ હેતુ માટે ઉપયોગ કરવાની મંજૂરી છે. તે સબમિટ કરાયું હતું, કારણ કે સ્વ.શ્રી ગોર્ધનદાસ એસ ગરોદિયાની જમીન હજુ પણ સીઆરઝેડ નિયમન હેઠળ છે ” એમ જણાવ્યું હતું.

Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
BMC Mayor Election 2026: મુંબઈ મેયર પદ પર કોઈ બાંધછોડ નહીં, દેવેન્દ્ર ફડણવીસને દિલ્હીથી મળ્યો કડક આદેશ; શિંદે જૂથની માંગણીઓ ઠુકરાવશે ભાજપ?
Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Exit mobile version