Site icon News Continuous Bureau | Mumbai

જે જમીન પર ઉદ્ધવ ઠાકરેને મેટ્રો કારશેડ બનાવવું છે તે જમીન 521 કરોડમાં વેંચાઈ ગઈ. જાણો વિગત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 જાન્યુઆરી 2021 

જ્યારથી મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ છે ત્યારથી મેટ્રો કાર શેડ માટેની જગ્યાને લઈને સતત વિવાદ રહ્યો છે. પહેલા ગોરેગાંવના આરે કોલોનીમાં આ શેડ બનવાનો હતો. પરંતું ઉદ્ધવ ઠાકરેની સરકારે પર્યાવરણ ને નુકશાનકારક ગણાવી તેને કાંજુરમાર્ગમાં સ્થળાંતર કરવાનું એલાન કર્યું હતું. હવે આ જગ્યાને લઈને જે ખબર સામે આવ્યાં છે તેનાથી ઉઘ્ધવ ઠાકરે સરકાર ભોંઠી પડી ગઈ છે. 

Join Our WhatsApp Channel

રાજ્ય દ્વારા મેટ્રો કાર શેડ માટે ઉપયોગ કરવાની અપેક્ષા રાખેલી કંજુરમાર્ગ ની જમીન, ખાનગી વ્યક્તિના કબજામાં હતી. જે હવે એક જાણીતા બિલ્ડરે 521 કરોડમાં  ખરીદી લીધી છે. 

ખાનગી વ્યક્તિના કબજામાં રહેલી આ મીઠું ઉત્પન્ન કરવાની જમીન ગોરડીયા નામની વ્યક્તિ પાસે 500 એકર જમીન લીઝ્ડ પર હતી. જેના શાહપોરજી પાલનપુરજી મિસ્ત્રી ગ્રુપે જમીન અને વિકાસના અધિકારો મેળવ્યા છે.  અહીંની 500  એકરમાંથી રાજ્યએ મેટ્રો લાઇન 3 અને 6 માટે 102 એકરનો દાવો કર્યો છે, પરંતુ બોમ્બે હાઈકોર્ટે આ બોલી ફગાવી દીધી છે અને કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની દાવો કરાયેલી સંપત્તિને "છેતરપિંડી" ગણાવી છે.  

અગરિયાની જમીનનો એક ભાગ 1981 પહેલાં આકારણી દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો અને તેનો એક ભાગ 20 નવેમ્બર 1986 ના રોજ માનનીય અધિકાર ક્ષેત્રની હાઈકોર્ટના હુકમનામ મુજબ હસ્તગત કરવામાં આવ્યો હતો. સીઆરઝેડ રેગ્યુલેશન હેઠળની જમીનનો વિકાસ હેતુ માટે ઉપયોગ કરવાની મંજૂરી છે. તે સબમિટ કરાયું હતું, કારણ કે સ્વ.શ્રી ગોર્ધનદાસ એસ ગરોદિયાની જમીન હજુ પણ સીઆરઝેડ નિયમન હેઠળ છે ” એમ જણાવ્યું હતું.

Heavy Downpour in Mumbai મુંબઈમાં છેલ્લા ૧૨ કલાકથી ભારે વરસાદ, આખો દિવસ ધોધમાર વરસાદની આગાહી; જારી કરાયું એલર્ટ
Tansa Lake Overflow મુંબઈને પાણી પૂરું પાડતું તાનસા તળાવ ઓવરફ્લો, આટલા દરવાજા ખોલાયા
Mumbai Lake Levels Surge to 61.90 મુંબઈમાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક, સ્ટોક ૬૧.૯૦ ટકા થયો
Ghatkopar’s Stabbing Attack ઘાટકોપરમાં દૂધ લેવા નીકળેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા ૨૦૨૩ ની અદાવતમાં હત્યાનો પ્રયાસ..
Exit mobile version