Site icon News Continuous Bureau | Mumbai

Mumbai local mega block : શું તમે રવિવારે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ આ બે લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક…

Mumbai local mega block : જો તમે રવિવારે એટલે કે 26 નવેમ્બરે સેન્ટ્રલ અથવા હાર્બર રેલવે દ્વારા મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો મેગાબ્લોકનું શેડ્યૂલ જોઈને બહાર જવાનો પ્લાન બનાવો. મધ્ય રેલવેએ મુંબઈવાસીઓ માટે મેગાબ્લોક શેડ્યૂલ જાહેર કર્યું છે.

Mumbai local mega block Mumbai Mega Block On Main, Harbour Lines On Sunday, check details here

Mumbai local mega block Mumbai Mega Block On Main, Harbour Lines On Sunday, check details here

News Continuous Bureau | Mumbai

Mumbai local mega block : ઉપનગરીય રેલ્વે લાઇન પર સિગ્નલ સિસ્ટમ ( signal system ) અને ટ્રેકના સમારકામમાં ( repairing ) કેટલાક ટેકનિકલ કામો ( Technical works ) કરવા માટે મધ્ય અને હાર્બર રેલવે લાઇન પર આવતીકાલે એટલે કે રવિવાર, 26મી નવેમ્બર, 2023ના રોજ મેગાબ્લોક લેવામાં આવશે. મધ્ય રેલવેની માટુંગાથી થાણે અપ-ડાઉન સ્લો લાઇન પર; પનવેલ-વાશી વચ્ચેની હાર્બર લાઇન પર અપ અને ડાઉન લાઇન પર મેગાબ્લોક રહેશે.

Join Our WhatsApp Channel

મધ્ય રેલવે ( Central Railway ) 

ક્યાં: થાણેથી માટુંગા, અપ-ડાઉન સ્લો રૂટ

ક્યારે: સવારે 11.05 થી બપોરે 3.55 વાગ્યા સુધી

પરિણામ: બ્લોક દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી ઉપડતી ધીમી લોકલ માટુંગા અને થાણે સ્ટેશનો વચ્ચે ઝડપી રૂટ પર દોડશે. આ લોકલ સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ અને થાણે સ્ટેશનો વચ્ચે ઊભી રહેશે. તે ધીમા રૂટ પર ચલાવવામાં આવશે; જ્યારે કલ્યાણથી ઉપડતી સ્લો રૂટ પરની લોકલ ટ્રેનોને થાણે અને માટુંગા વચ્ચેના ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. તેમજ આ લોકલ થાણે, મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા અને સાયન સ્ટેશન પર રોકાશે. બાદમાં તે માટુંગા સુધી સ્લો રૂટ પર દોડશે.

આ સમાચાર પણ વાંચોઃ Mumbai : મુંબઈમાં ‘આ’ તારીખ સુધી પેરાગ્લાઈડર્સ, રિમોટ કંટ્રોલ્ડ માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, ડ્રોન પર પ્રતિબંધ, જાણો શું છે કારણ..

હાર્બર રેલ્વે ( Harbor Railway ) 

ક્યાં: પનવેલ થી વાશી, અપ-ડાઉન રૂટ

ક્યારે: સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી

પરિણામ : બ્લોક સમયગાળા દરમિયાન પનવેલથી CSMT સુધીની અપ લોકલ અને CSMTથી પનવેલ/બેલાપુર સુધીની ડાઉન લોકલ રદ રહેશે. પનવેલથી થાણે સુધીની અપ ટ્રાન્સહાર્બર લોકલ અને થાણેથી પનવેલની ડાઉન લોકલ પણ રદ રહેશે. નેરુલ-થાણે, થાણે-નેરુલ લોકલ પણ રદ રહેશે. બ્લોક સમયગાળા દરમિયાન CSMT અને વાશી સ્ટેશનો વચ્ચે વિશેષ લોકલ ચલાવવામાં આવશે.

Lalbaugcha Raja Donations લાલબાગચા રાજાના ચરણોમાં શ્રદ્ધાનો મહાસાગર ગણેશોત્સવના પ્રથમ ૩ દિવસમાં જ ₹૩.૧૮ કરોડથી વધુનું દાન મળ્યું
IIT Bombay Student Suicide આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીનો આપઘાત પરીક્ષા દરમિયાન ચેટબોટનો ઉપયોગ કરતાં પકડાયા બાદ ભર્યું અંતિમ પગલું
Dadar Udyan Ganesh Mandir Notice દાદરના ઐતિહાસિક ઉદ્યાન ગણેશ મંદિરને બીએમસીની નોટિસ શિવાજી પાર્ક ખાતે બાંધકામ મુદ્દે વિવાદ
Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Exit mobile version