Site icon

Mumbai Local: મુંબઈ લોકલ ટ્રેનમાં એક કે બે નહીં આટલા દિવસ નો રેલવે બ્લોક, અનેક ટ્રેનો રદ; જાણો સંપૂર્ણ સમયપત્રક

Mumbai Local: મુંબઈના યાત્રીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મધ્ય રેલવે દ્વારા કર્જત સ્ટેશન પર ઓવરહેડ ઈલેક્ટ્રિક અને એન્જિનિયરિંગના કામો માટે ૪ દિવસનો ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે, જેના કારણે ઘણી લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર થશે.

Mumbai Local મુંબઈ લોકલ ટ્રેનમાં એક કે બે નહીં આટલા દિવસ નો રેલવે બ્લોક,

Mumbai Local મુંબઈ લોકલ ટ્રેનમાં એક કે બે નહીં આટલા દિવસ નો રેલવે બ્લોક,

News Continuous Bureau | Mumbai
Mumbai Local મધ્ય રેલવે પ્રશાસને કર્જત યાર્ડ સુધારણા પ્રોજેક્ટ અંતર્ગત મહત્વના કામો હાથ ધર્યા છે. આ કામોમાં ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇનનું સમારકામ અને અન્ય એન્જિનિયરિંગ સંબંધિત કામોનો સમાવેશ થાય છે. આ કામોને કારણે કર્જત સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક અને પાવર બ્લોક લાગુ કરવામાં આવશે. આ બ્લોકના કારણે કર્જત અને ખોપોલી વચ્ચેના ઉપનગરીય ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર થશે અને કેટલીક ટ્રેનો રદ રહેશે.

પહેલો બ્લોક: શનિવાર, ૬ સપ્ટેમ્બર ૨૦૨૫

સમયગાળો: બપોરે 2:30 થી 4:30 વાગ્યા સુધી (કુલ 2 કલાક)
કામનો વિસ્તાર: અપ લાઇન પર – કર્જત (પ્લેટફોર્મ સિવાય) થી નાગનાથ કેબિન સુધી
ગાડીઓ પર અસર:
કર્જતથી બપોરે 3:39 વાગ્યે ઉપડતી ખોપોલી લોકલ રદ રહેશે.
ખોપોલીથી બપોરે 2:55 વાગ્યે ઉપડતી કર્જત લોકલ રદ રહેશે.

Join Our WhatsApp Community

બીજો બ્લોક: રવિવાર, ૭ સપ્ટેમ્બર થી મંગળવાર, ૯ સપ્ટેમ્બર ૨૦૨૫

સમયગાળો: બપોરે 2:30 થી 5:00 વાગ્યા સુધી (કુલ 2 કલાક 30 મિનિટ)
કામનો વિસ્તાર: અપ લાઇન પર – કર્જત (પ્લેટફોર્મ સિવાય) થી નાગનાથ કેબિન સુધી
આ બ્લોક દરમિયાન અન્ય ટ્રેનો પર અસર:
CSMT થી બપોરે 12:20 વાગ્યે ઉપડતી ખોપોલી લોકલ ટ્રેન કર્જત ખાતે જ શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન કર્જત અને ખોપોલી વચ્ચે રદ રહેશે.
ખોપોલીથી સાંજે 4:30 વાગ્યે ઉપડતી CSMT લોકલ ટ્રેન ખોપોલીથી ઉપડવાને બદલે કર્જતથી જ શોર્ટ ઓરિજિનેટ થશે અને બપોરે 4:57 વાગ્યે ઉપડશે. આ ટ્રેન પણ ખોપોલી અને કર્જત વચ્ચે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના

રેલવેની યાત્રીઓને અપીલ

મધ્ય રેલવેના જનસંપર્ક વિભાગે નિવેદન બહાર પાડીને યાત્રીઓને અપીલ કરી છે કે આ બ્લોક દરમિયાન પોતાની મુસાફરીનું આયોજન કરતી વખતે ટ્રેનોના સમયપત્રકમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખે. રેલવે પ્રશાસને યાત્રીઓને થતી અસુવિધા ઓછી કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version