Site icon News Continuous Bureau | Mumbai

Western Railway: વેસ્ટર્ન લાઇનના મુસાફરો માટે ખુશખબર: 19 ફેબ્રુઆરીથી બદલાઈ જશે લોકલનું ટાઈમટેબલ, 15 નવી ટ્રેનોને મળી લીલી ઝંડી

શનિવાર અને રવિવારે પણ એસી ટ્રેનોની સંખ્યા 77 થી વધારીને 106 કરાઈ; બાંદ્રા-ભાયંદર લોકલ હવે વિરાર સુધી લંબાવાઈ.

Western Railway વેસ્ટર્ન લાઇનના મુસાફરો માટે ખુશખબર 19 ફેબ્રુઆરીથી બદલાઈ જશે

Western Railway વેસ્ટર્ન લાઇનના મુસાફરો માટે ખુશખબર 19 ફેબ્રુઆરીથી બદલાઈ જશે

News Continuous Bureau | Mumbai

Western Railway મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. પશ્ચિમ રેલ્વેએ 19 ફેબ્રુઆરીથી પશ્ચિમ રેલ્વે માર્ગ પર 12 વધારાની એસી લોકલ અને 3 નવી નોન-એસી લોકલ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર બાદ પશ્ચિમ રેલ્વે પર દોડતી કુલ ટ્રેનોની સંખ્યા 1410 થી વધીને 1414 થઈ ગઈ છે.પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગના જણાવ્યા અનુસાર, મુસાફરોની વધતી જતી સંખ્યા અને એસી લોકલની માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે 12 એસી લોકલ શરૂ થવાની છે, તેમાંથી 11 ટ્રેનો હાલની નોન-એસી ટ્રેનોની જગ્યાએ દોડશે, જ્યારે એક સંપૂર્ણ નવી એસી લોકલ સેવાનો ઉમેરો કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

એસી લોકલની સેવામાં મોટો વધારો

પશ્ચિમ રેલ્વે માર્ગ પર અત્યાર સુધી 121 એસી લોકલ સેવાઓ કાર્યરત હતી, જે હવે વધીને 133 થશે. ખાસ કરીને વીકએન્ડ એટલે કે શનિવાર અને રવિવારે પણ એસી લોકલની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. રજાના દિવસોમાં એસી ટ્રેનોની સંખ્યા 77 હતી જે હવે વધારીને 106 કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓ રજાના દિવસે પણ ઠંડી અને આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકે.

કનેક્ટિવિટી સુધારવા માટે રૂટમાં ફેરફાર

પ્રવાસીઓની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ માત્ર ટ્રેનોની સંખ્યા જ નથી વધારી, પરંતુ કનેક્ટિવિટી પર પણ ધ્યાન આપ્યું છે. હાલમાં જે ટ્રેન બાંદ્રાથી ભાયંદરવચ્ચે દોડતી હતી, તે સેવાને હવે વિરાર સુધી લંબાવવામાં આવી છે. આ ફેરફારથી વિરાર અને નાલાસોપારા જેવા વિસ્તારોમાં રહેતા હજારો મુસાફરોને સીધો ફાયદો થશે અને મુસાફરી વધુ સુવિધાજનક બનશે.

આ સમાચાર પણ વાંચો : Nikhil Gupta Guilty Plea: પન્નુ હત્યા કાવતરામાં મોટો ધડાકો: નિખિલ ગુપ્તાએ અમેરિકી કોર્ટમાં ગુનો કબૂલ્યો; જેને ‘હિટમેન’ સમજી સોપારી આપી તે જ નીકળ્યો અન્ડરકવર એજન્ટ!

સુરક્ષિત અને પ્રવાસીલક્ષી સેવા પર ભાર

રેલ્વે અધિકારીઓના જણાવ્યા મુજબ, નવી સેવાઓનો હેતુ ટ્રેનોમાં થતી ભારે ભીડને ઓછી કરવાનો અને પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ આપવાનો છે. મુંબઈની ઉપનગરીય રેલ્વે સેવાને વધુ સુરક્ષિત અને પ્રવાસીકેન્દ્રી બનાવવા માટે પશ્ચિમ રેલ્વે સતત પ્રયત્નશીલ છે. 19 ફેબ્રુઆરીથી અમલમાં આવનારા નવા સમયપત્રક મુજબ પ્રવાસીઓ પોતાની મુસાફરીનું આયોજન કરી શકશે.

Mumbai Floods કેમ દર વર્ષે ચોમાસામાં ડૂબે છે માયાનગરી મુંબઈ? કરોડોના ખર્ચ પછી પણ હાલ ‘બેહાલ’; જાણો કડવી વાસ્તવિકતા
Open Manholes in Ghatkopar સાકીનાકા જેવી હોનારતની રાહ? ઘાટકોપરમાં પાલિકાએ ખુલ્લા મેનહોલ પર માત્ર લાકડી બાંધી, મુંબઈગરા રામ ભરોસે?!
Missing Link Potholes Missing Link Potholes મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર ખડ્ડા પડતા વિવાદ; દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘આ તો માત્ર ટેસ્ટિંગ છે!’
Under Construction Site Collapse in Bhandup મુંબઈમાં વરસાદનો કહેર ભાંડુપમાં અંડરકન્સ્ટ્રક્શન સાઈટ પર માળખું ધરાશાયી, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
Exit mobile version