Site icon News Continuous Bureau | Mumbai

બ્રીજ બંધ થતા અંધેરીમાં અપાર ટ્રાફિક- હવે મુખ્યમંત્રી પોતે મેદાને- બીએમસી કમીશ્નરને કહ્યું ટ્રાફિકની ભીડને ટાળવા માટે આ કામ કરો

News Continuous Bureau | Mumbai

અંધેરી(Andheri) પૂર્વ અને પશ્ચિમને જોડતો ગોખલે બ્રિજ(Gokhle bridge) બંધ થવાથી અભૂતપૂર્વ ટ્રાફિક જામ થઈ રહ્યો છે. અંધેરી સ્ટેશન અને મેટ્રો સ્ટેશનની નજીક મોટી સંખ્યામાં હૉકર્સ બેસે છે અને ટ્રાફિક જામમાં વધારો કરે છે. આથી મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) એ મંગળવારે મુંબઈ મ્યુનિસિપલ કમિશનરને (BMC Commissioner) નિર્દેશ આપ્યો હતો કે જ્યાં સુધી પુલનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ હોકરો(Hockers)ને હટાવીને રસ્તો ખુલ્લો રાખવામાં આવે. તેમણે રેલવે સત્તાવાળાઓ સાથે પણ ચર્ચા કરી આ પુલનું કામ વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી હતી.

Join Our WhatsApp Channel

અંધેરીમાં ગોખલે પુલ જોખમી હોવાથી ટ્રાફિક પોલીસે(Traffic Police) તેને કેટલાક દિવસોથી સંપૂર્ણપણે બંધ(Closed) કરી દીધો છે. અંધેરીના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં રહેતા નાગરિકો છેલ્લા કેટલાક દિવસોથી આ નિર્ણયની કોઈ પૂર્વ સૂચના ન હોવાને કારણે અભૂતપૂર્વ ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે. આ બાબત મુખ્યમંત્રીના કાને પડતાં જ તેમણે તુરંત ધ્યાન દોર્યું હતું.

આ સમાચાર પણ વાંચો: વંદે ભારત એક્સપ્રેસ અકસ્માતોની શ્રેણી ચાલુ – હવે મહિલાનો અકસ્માત થયો, સ્થળ પર જ મૃત્યુ પામી.

આ બ્રિજ બંધ થવાને કારણે એસવી રોડ, લિંક રોડ, જેપી રોડ, ઇરલા જંક્શન, અંધેરી વેસ્ટમાં શોપર્સ સ્ટોપ પર વાહનોની લાંબી કતારો જોવા મળે છે. તેમજ આ બ્રિજ બંધ થયા બાદ ટ્રાફિક પોલીસે નવી સિગ્નલ સિસ્ટમ લાગુ કરી નથી.

Kalyan CSMT Fast AC Local Door Malfunction કલ્યાણCSMT ફાસ્ટ AC લોકલના તમામ દરવાજા બંધ રહેતા હંગામો, માત્ર એક જ દરવાજો ખુલતા ઉમટી ભારે ભીડ
Mumbai Police Praiseworthy Action મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી પેડર રોડ પરથી મળ્યો ૧ વર્ષથી ગુમ થયેલો વ્યક્તિ; પરિવાર સાથે કરાવ્યું મિલન
Cuffe Parade Police ચાલુ ટ્રેનમાંથી ૪ રાજ્યોનો શાતીર વાહનચોર પકડાયો, કફ પરેડ પોલીસનું ગુજરાતમાં ગુપ્ત ઓપરેશન સફળ
CJP Protest ‘શાંતિપૂર્ણ નહોતું કોકરોચ પાર્ટીનું પ્રદર્શન, અરજી માત્ર પબ્લિસિટી માટે…’, દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્રની દલીલ; મોદી સરકારે આપ્યા પુરાવા
Exit mobile version