Site icon News Continuous Bureau | Mumbai

મલાડમાં રાતોરાત ફૂટી નીકળ્યો રસ્તો, હવે પાલિકા તેને તોડતી નથી અને સ્થાનિક લોકો પરેશાન છે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ફેબ્રુઆરી 2021

મલાડ પશ્ચિમમાં લિંક રોડ પાસે આવેલા એવરશાઇન નગર વિસ્તારમાં લોકો નાહક ના ટ્રાફિક જામ થી પરેશાન છે. વાત એમ છે કે માલવણી વિસ્તારમાં લઘૂ રોડને જોડતો તેમજ એવરશાઇન નગર ની પાછળ ના ભાગમાં લોકોની અવરજવર માટે એક ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ આ બ્રિજ લોકો ના ચાલવા માટે બનાવ્યો હતો પરંતુ અકળ કારણોસર આ બ્રિજના દાદરા ના સ્થાને એક સ્લોપ બનાવવામાં આવ્યો. થોડા દિવસમાં અહીંથી રીક્ષા, બાઈક તેમજ અન્ય વાહન ચાલવા માંડ્યા. પરિણામ સ્વરૂપ માલવણી માં અંદરના ભાગમાં રહેતા લોકો એવરશાઇન નગર થી થઈને પોતાના વાહનો વાળવા માંડ્યા. હાલ એવર શાઇન નગરના રસ્તાઓ પ્લાન મુજબ એટલા પહોળા નથી કે તે વધુ ભાર ને વહન કરી શકે. આથી અંદરના ભાગમાં રહેતા લોકોને પણ ટ્રાફિક નો ભોગ બનવું પડી રહ્યું છે.

સ્થાનિક રહેવાસી દીપકભાઈ મોદીએ જણાવ્યું કે આ રસ્તો ગેરકાયદેસર હોવાથી ગવર્મેન્ટ ઓથોરિટીએ તેને તોડવાનો આદેશ આપી દીધો છે. જ્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ તેને તોડવા માટે પહોંચી જાય છે ત્યારે પોલીસના અધિકારીઓ તેમને સુરક્ષા પૂરી પાડતા નથી. જેને કારણે સ્થાનિક લોકોની સમસ્યા વધી ગઈ છે.

આ સંદર્ભે સ્થાનિક નગરસેવિકા જયા તિવાના એ જણાવ્યું કે અમે પોલીસ વિભાગ તેમજ મહાનગરપાલિકામાં લખાણમાં ફરિયાદ કરી છે કે આ રસ્તાને તોડી નાખવામાં આવે. અહીં માત્ર ચાલવા માટેની એક કેડી જ ઉપલબ્ધ રાખી શકાય તેમ છે. તેમ છતાંય ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવામાં આવ્યો છે. સ્થાનિક લોકોની ફરિયાદ છે કે આ રસ્તો બન્યા પછી એવર શાઇન નગરમાં ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. જેનું પ્રમુખ કારણ એ છે કે ચોરી કર્યા બાદ પાછળના રસ્તેથી ચોર ભાગી ને માલવણી ના ગીચ વિસ્તારમાં જઈ શકે છે. 

આમ મુંબઈ શહેરમાં જ્યાં એક તરફ રસ્તો નહીં બનવાની ફરિયાદ થી લોકો પરેશાન છે ત્યારે મલાડ વિસ્તારમાં એક ગેરકાયદેસર રસ્તો બનવા થી લોકો પરેશાન છે.

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version