Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે કરી પ્રેસ કૉન્ફરન્સ; મુંબઈ સંદર્ભે કહી આ મોટી વાત, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 જૂન 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે “રાજ્ય સરકારનાં ધોરણો અને તાજેતરમાં જારી કરાયેલા આંકડા મુજબ, મુંબઈમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૯૫ ટકાએ પહોંચી ગઈ છે, જેથી એ ત્રીજા તબક્કામાં આવે છે.” મુખ્ય પ્રધાન કાર્યાલય અથવા મુખ્ય પ્રધાન પોતે જ અનલૉકની નિયમાવલી ટૂંક સમયમાં જાહેર કરશે.

મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા બમણી થવાનો રેટ 515 દિવસ થઈ ગયો છે. એથી, હાલમાં બે સપ્તાહના આંકડાને આધારે મુંબઈનો પૉઝિટિવિટી રેટ પાંચ ટકા સુધીનો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે મુંબઈ ત્રીજા લેવલ સુધી છે. ભવિષ્યમાં જો મુંબઈ પ્રથમ સપ્તાહમાં ત્રીજા લેવલમાં હોય, તો પણ પૉઝિટિવિટી રેટ પ્રમાણે એ બીજા લેવલમાં હશે, તો એ મુજબ નિયમો લાગુ કરવામાં આવશે.

જાણો તમારું શહેર કયા લેવલમાં આવે છે? તો તમને શું છૂટ મળશે? એક સપ્તાહ સુધી મહારાષ્ટ્રનાં કયાં શહેરોમાં કયા પ્રકારનું લૉકડાઉન રહેશે;જાણો વધુ વિગત
 

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારનાં ધારાધોરણ મુજબ સાંજે મુંબઈ માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે, ત્યારે માયાનગરી મુંબઈમાં અનલૉકનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે, એમ મેયર કિશોરી પેડણેકરે વધુમાં ઉમેર્યું હતું.

Ghatkopar’s Stabbing Attack ઘાટકોપરમાં દૂધ લેવા નીકળેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા ૨૦૨૩ ની અદાવતમાં હત્યાનો પ્રયાસ..
Mumbai Illegal Bangladeshi Nationals મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે ૩૭ બાંગ્લાદેશીઓને દબોચ્યા, દેશનિકાલ કરવા તંત્ર એક્શન મોડમાં
Nahur Footpath Collapse BMC Repair નાહૂરમાં મોડી રાત્રે ફૂટપાથ ધસી પડી ૨ બાઇક ખાડામાં ખાબકતા મોટું નુકસાન, બીએમસીએ સમારકામ શરૂ કર્યું
BEST Bus Mounts Divider Borivali SV Road બોરીવલીમાં બેસ્ટ બસ ડિવાઇડર પર ચડી ગઈ મોટી દુર્ઘટના ટળી, મુસાફરો આબાદ બચ્યા
Exit mobile version