Site icon

રવિવારે બહાર ફરવા જવાના છો? તો વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

મુંબઈ લોકલ મુંબઈવાસીઓની લાઈફ લાઈન ગણાય છે. પરંતુ રવિવાર ના દિવસે કેટલાક મેઇન્ટેનન્સના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે.

Mumbai: Mega block on Central and Harbour lines on Sunday; check details here

રવિવારે બહાર ફરવા જવાના છો? તો વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

News Continuous Bureau | Mumbai

મુંબઈ લોકલ મુંબઈવાસીઓની લાઈફ લાઈન ગણાય છે. પરંતુ રવિવાર ના દિવસે કેટલાક મેઇન્ટેનન્સના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે. આવતીકાલે એટલે કે રવિવાર 12મી માર્ચ 2023ના રોજ, મધ્ય રેલ્વે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. સેન્ટ્રલ રેલવેએ રૂટિન મેઇન્ટેનન્સ રિપેરિંગ અને એન્જિનિયરિંગ કામ માટે આ મેગા બ્લોકની જાહેરાત કરી છે. તેથી, જો તમે આ સપ્તાહના અંતમાં બહાર જવાનું વિચારી રહ્યા છો, તો ટ્રેનનું સમયપત્રક જોઈને જ બહાર નીકળ જો.

મધ્ય રેલવે લાઇન પર મેગા બ્લોક

સવારે 11.05 થી બપોરે 3.55 વાગ્યા સુધી માટુંગા અને મુલુંડ વચ્ચે એક્સપ્રેસ વે પર મેગા બ્લોક રહેશે.

Join Our WhatsApp Community

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી સવારે 10.25 થી બપોરે 3.35 વાગ્યાની વચ્ચે ઉપડતી એક્સપ્રેસ ટ્રેનોને માટુંગા અને મુલુંડ સ્ટેશનો વચ્ચેની ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને તેમના સંબંધિત નિર્ધારિત સ્ટોપ પર ઉભી રહેશે. આ એક્સપ્રેસ ટ્રેનોને થાણે નજીક એક્સપ્રેસ લાઇન પર વાળવામાં આવશે અને નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી પહોંચશે.

થાણેથી, સવારે 10.50 થી બપોરે 3.46 વાગ્યા સુધી, એક્સપ્રેસ ટ્રેનોને મુલુંડ અને માટુંગા વચ્ચેના ધીમા રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે અને તેમના સંબંધિત નિર્ધારિત સ્ટોપ પર રોકાશે. જે બાદ ટ્રેનોને ફરીથી ફાસ્ટ ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવશે અને નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી પહોંચશે.

હાર્બર રેલવે લાઇન પર મેગા બ્લોક

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-ચુનાભટ્ટી/બાંદ્રા ડાઉન હાર્બર રૂટ પર સવારે 11.40 થી 4.40 વાગ્યા સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અપ હાર્બર રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગાબ્લોક રહેશે.

આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં મોટી બેંકિંગ કટોકટી સર્જાઈ! આ બેંકને લાગ્યા તાળાં, ભારતીય રોકાણકારો પણ ચિંતિત

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ/વડાલા રોડથી વાશી/બેલાપુર/પનવેલ માટે સવારે 11.16 થી સાંજે 4.47 વાગ્યા સુધી અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ માટે બાંદ્રા/ગોરેગાંવ ડાઉન હાર્બર રૂટની સેવા સવારે 10.48 થી સાંજે 4.43 સુધી ચાલુ રહેશે.

પનવેલ/બેલાપુર/વાશીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ માટે સવારે 9.53 થી બપોરે 3.20 વાગ્યા સુધી ઉપડતી અપ હાર્બર સેવાઓ અને ગોરેગાંવ/બાંદ્રાથી સવારે 10.45 થી સાંજે 5.13 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ માટે ઉપડતી અપ હાર્બર સેવાઓ રૂટ પર બંધ રહેશે. .

વિશેષ ટ્રેનો

જો કે, પનવેલ અને કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચેની વિશેષ સેવાઓ બ્લોક સમયગાળા દરમિયાન લગભગ 20 મિનિટની આવર્તન પર ચલાવવામાં આવશે.

હાર્બર રૂટ પરના મુસાફરોને સવારે 10.00 થી સાંજે 6.00 વાગ્યા સુધીના બ્લોક સમયગાળા દરમિયાન મેઇન લાઇન અને પશ્ચિમ રેલવે પર મુસાફરી કરવાની છૂટ છે.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો! કેન્દ્રીય તપાસ એજન્સી EDએ સદાનંદ કદમની કરી ધરપકડ, આ મામલામાં કસાયો સકંજો

IND vs SA: લખનૌમાં ધુમ્મસનું ગ્રહણ, ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ એક પણ બોલ ફેંકાયા વિના રદ!
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version