Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Metro : મુંબઇ મેટ્રોના મુસાફરો માટે મોટા સમાચાર, મળશે 5 લાખ રૂપિયા સુધીનો વીમો… જાણો સંપૂર્ણ સ્કીમ

મેટ્રો મુસાફરોની મુસાફરીને આરામદાયક બનાવવા ઉપરાંત, સરકારે હવે તેમની સુરક્ષા માટે પણ વિસ્તૃત વ્યવસ્થા કરી છે. મહામુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ (MMMOCL) ના તમામ મુસાફરોને સમૂહ વીમાનો લાભ મળશે.

Kalyan-Taloja Metro now up to Navi Mumbai! MMRDA to connect Belapur-Pendhar route

Kalyan-Taloja Metro now up to Navi Mumbai! MMRDA to connect Belapur-Pendhar route

News Continuous Bureau | Mumbai

Mumbai Metro:  મેટ્રોમાં મુસાફરી કરતી વખતે અકસ્માત અને હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં, સારવાર માટે 1 લાખ રૂપિયા સુધી અને ઓપીડી માટે 10,000 રૂપિયા આપવામાં આવશે. આકસ્મિક મૃત્યુના કિસ્સામાં 5 લાખ રૂપિયા અને અપંગતાના કિસ્સામાં 4 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે.

કોને ફાયદો થશે

MMMOCLના વીમા કવચનો લાભ મેટ્રો-7 અને મેટ્રો-2A પર માન્ય ટિકિટ, માસિક પાસ, સ્માર્ટ કાર્ડ અથવા QR કોડ ટિકિટ  મુસાફરી કરતા મુસાફરોને થશે. વીમા પોલિસીનો લાભ મેટ્રો સ્ટેશન બિલ્ડિંગ, પ્લેટફોર્મ, ટ્રેન, સ્ટેશન પરિસરમાં હાજર મુસાફરોને આપવામાં આવશે. જોકે સ્ટેશન પરિસરના બહારના વિસ્તારમાં પાર્કિંગ પરિસરમાં કોઈ અપ્રિય ઘટનાના કિસ્સામાં, મુસાફરોને વીમાનો લાભ મળશે નહીં.

Join Our WhatsApp Channel

કોઈ વધારાનો ચાર્જ નથી

MMMOCL અનુસાર, વીમાનો લાભ મેળવવા માટે મુસાફરો પાસેથી કોઈ વધારાના પૈસા લેવામાં આવશે નહીં. ગયા વર્ષે મેટ્રો-7 અને મેટ્રો-2Aના 35 કિલોમીટરના રૂટ પર મેટ્રો સેવા શરૂ થઈ હતી. દરરોજ 253 ફેરીઓ ચાલે છે, જેમાં 1.5 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે.

આ સમાચાર પણ વાંચો: IPL ફાઇનલ : ઉત્સાહમાં આવીને જય શાહે એક એવો ઈશારો કર્યો કે ઇન્ટરનેટ પર ટ્રોલ થયો.. જુઓ વિડિયો.

એમએમએમઓસીએલના વહીવટી નિયામક એસ.વી. આર. શ્રીનિવાસના કહેવા પ્રમાણે, મેટ્રો કોરિડોર વર્લ્ડ ક્લાસ સ્ટાન્ડર્ડના આધારે બનાવવામાં આવ્યો છે. અત્યાધુનિક સેવાની સાથે મુસાફરોને સુરક્ષા આપવાની જવાબદારી પણ વહીવટીતંત્રની છે. એટલા માટે વીમાનું સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

સારી પહેલ

 લોકલ ટ્રેનમાં દરરોજ લગભગ 70 લાખ મુસાફરો મુસાફરી કરે છે. દરરોજ 5 થી 10 જેટલા મુસાફરો લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અકસ્માતનો ભોગ બને છે. મુસાફરોની સંખ્યા 70 લાખ હોવા છતાં લોકલ ટ્રેનના મુસાફરોને વીમાની સુવિધા ઉપલબ્ધ નથી. મુસાફરી દરમિયાન અકસ્માત થાય તો મુસાફરોના પરિવારજનોએ સારવારનો ખર્ચ ઉઠાવવો પડે છે. આવી સ્થિતિમાં મેટ્રો રેલના મુસાફરો માટે વીમા કવચનો લાભ મેળવવો એ સારી પહેલ છે.

વીમા કવચ આ પ્રકારનું હશે

હોસ્પિટલમાં દાખલ થવા પર 1 લાખ રૂ.

ઓપીડીનો ખર્ચ 10 હજાર રૂપિયા

મૃત્યુ પર રૂ. 5 લાખ

વિકલાંગતાના કિસ્સામાં રૂ. 4 લાખ

Miraculous rescue of toddler વિરારમાં ત્રીજા માળેથી નીચે પછડાયેલા ૧૮ મહિનાના માસૂમ બાળકનો શેડ પર પડવાથી ચમત્કારિક બચાવ
Borivali birthday firing incident બોરિવલીમાં જન્મદિવસની પાર્ટીમાં એર ગન ફાયર, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો, આરોપી ઝડપાયો
MCOCA invoked against gang મુંબઈમાં સંગઠિત અપરાધ સામે મોટી કાર્યવાહી, કુખ્યાત ગેંગના ૧૨ સભ્યો સામે ‘મોકા’ અંતર્ગત ગુનો દાખલ
Salon worker suicide case સેલોન કર્મચારીના આપઘાત મામલે છ મહિના બાદ ચાર સહકર્મીઓ સામે ગુનો દાખલ
Exit mobile version