Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર: મુંબઈ મેટ્રો-1ના ટાઇમ ટેબલમાં થયો ફેરફાર, 18 ઓક્ટોબરથી પીક અવર દરમિયાન દર આટલી મિનિટે દોડશે ટ્રેન 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 16 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

વર્સોવા- અંધેરી- ઘાટકોપર મેટ્રો-1ના ટાઇમટેબલમાં બદલાવ કરવામાં આવ્યો છે.

હવે સોમવારથી મેટ્રો-1ના રૃટ પર દર 4.5 મિનિટે ધસારાના સમયમાં ટ્રેનની સેવા મળશે જ્યારે ધસારા સિવાયના સમયમાં દર 10 મિનિટે સેવા મળશે. 

આ સાથે જ વર્સોવા અને ઘાટકોપરની છૂટનારી પ્રથમ અને અંતિમ મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો છે.

ઘાટકોપર મેટ્રો સ્ટેશનથી પ્રથમ મેટ્રો સવારે 7.15ને બદલે 6.30 વાગ્યે છુટશે. જ્યારે અંતિમ મેટ્રો ઘાટકોપરથી રાત્રે 10.15ને બદલે 10.55 વાગ્યે રવાના થશે. 

વર્સોવાથી અંતિમ મેટ્રો રાત્રે 10.30 વાગ્યે છુટશે અને પ્રથમ મેટ્રો સવારે 6.30 વાગ્યે શરૂ થશે. 

આ નવું ટાઇમટેબલ આગામી સોમવાર એટલે કે 18મી ઓક્ટોબરથી અમલમાં આવશે.

મુંબઈમાં દશેરાએ સોના હી સોના : દશેરાએ મુંબઈમાં 20 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો; મુંબઈગરાએ સોનાની કરી અધધધ ખરીદી; જાણો વિગત 

Mumbai। મંત્રી ગિરીશ મહાજન સામે મહિલાનો આક્રોશ ટ્રાફિક જામ મુદ્દે પોલીસ અને તંત્રની પોલ ખોલી
Chembur Property Scam। ચેમ્બુરમાં મિલકત પચાવી પાડવાનું કૌભાંડ નકલી ‘રિલીઝ ડીડ’ બનાવી વૃદ્ધાની દુકાન વેચી મારી
Tardeo Accident। તાડદેવમાં પૂરઝડપે આવતા બાઈકે વૃદ્ધનો જીવ લીધો હોટલ મેનેજરની ધરપકડ
Saki Naka Crime। સાકીનાકામાં પ્રેમીની ગદ્દારી પ્રેમિકાએ આર્થિક મદદનો ઇનકાર કરતા પ્રેમીએ જ ઘરમાં કર્યો લાખોની ચોરીનો હાથફેરો
Exit mobile version