Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ સેવા અનિશ્ચિત સમય માટે બંધ: સુરક્ષાના કારણોસર મોટો નિર્ણય

મુંબઈની લાઈફલાઈન સમાન જાહેર પરિવહન વ્યવસ્થામાં એક મહત્વનો ભાગ ભજવતી મુંબઈ મોનોરેલ સેવા

Mumbai Monorail મુંબઈ મોનોરેલ સેવા અનિશ્ચિત સમય માટે બંધ સુરક્ષાના કારણોસર મોટો નિર્ણયMumbai Monorail મુંબઈ મોનોરેલ સેવા અનિશ્ચિત સમય માટે બંધ સુરક્ષાના કારણોસર મોટો નિર્ણય

Mumbai Monorail મુંબઈ મોનોરેલ સેવા અનિશ્ચિત સમય માટે બંધ સુરક્ષાના કારણોસર મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

મુંબઈ (Mumbai): મુંબઈની લાઈફલાઈન સમાન જાહેર પરિવહન વ્યવસ્થામાં એક મહત્વનો ભાગ ભજવતી મુંબઈ મોનોરેલ સેવા (Mumbai Monorail) શનિવાર, ૨૦ સપ્ટેમ્બરથી અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સતત થતી ટેકનિકલ ખરાબીઓ અને અકસ્માતોને કારણે મુસાફરોની સુરક્ષા જોખમાઈ રહી હતી, જેને ધ્યાનમાં રાખીને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ આ મોટો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

ચિંબર-જેકોબ સર્કલ વચ્ચે ચાલતી મોનોરેલ સેવા તેના શરૂઆતથી જ અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. ૨૪૬૦ કરોડના ખર્ચે બનેલી આ ૨૦ કિલોમીટર લાંબી લાઈન સતત નુકસાનમાં પણ ચાલી રહી છે. ઓછી મુસાફરોની સંખ્યા ઉપરાંત, વારંવાર થતી ટેકનિકલ ખરાબીઓ અને દુર્ઘટનાઓએ આ પ્રોજેક્ટને ‘સફેદ હાથી’ તરીકેની વર્ણવામાં આવી રહી છે.
તાજેતરમાં, ઓગસ્ટ મહિનામાં એક જ દિવસે બે મોનોરેલ ટ્રેનોમાં ટેકનિકલ ખરાબી આવી હતી. અને ૫૮૮ મુસાફરો ફસાયા હતા, જેમણે ફાયર બ્રિગેડની મદદથી દરવાજો તોડીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ૨૦૧૭માં પણ એક ટ્રેનમાં આગ લાગવાના કારણે સેવા નવ મહિના સુધી બંધ રહી હતી.

આ સમાચાર પણ વાંચો : The Bads of Bollywood: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં સમય રૈનાની ટી-શર્ટ એ ખેંચ્યું લોકો નું ધ્યાન, શું આર્યન ની કરી ટીકા?

આ સતત થતી ઘટનાઓ બાદ MMRDAના કમિશનર ડૉ. સંજય મુખર્જીએ આ સેવાને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા, હાલમાં સમગ્ર મોનોરેલ સિસ્ટમમાં મોટા ફેરફારો અને નવીનીકરણનું કામ કરવામાં આવશે. જોકે, આ સેવા ક્યારે ફરી શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
MMRDA પાસે અકસ્માતો અને ખામીઓનું નિવારણ કરવા માટે સ્વતંત્ર આપત્તિ વ્યવસ્થાપન પ્રણાલી નથી. આવી પરિસ્થિતિઓમાં ફાયર બ્રિગેડ પર આધાર રાખવો પડે છે, જે સુરક્ષા વ્યવસ્થાની ખામી દર્શાવે છે. હવે, આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, MMRDAએ મોનોરેલ સેવાને સંપૂર્ણપણે બંધ કરીને સિસ્ટમમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.

Sharad Pawar Meets PM Narendra Modi જંતરમંતર આંદોલન વચ્ચે મોટો ઘટનાક્રમ, શરદ પવારે પીએમ મોદી સાથે કરી મુલાકાત, જંતરમંતર આંદોલન પર મંથન
Supreme Court Notice to Rebel Shiv Sena UBT MPs મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો વળાંક, બાગી સાંસદોની મુશ્કેલી વધી, બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા સર્વોચ્ચ અદાલતનો આદેશ
Supreme Court Parliament March Lathicharge જંતરમંતર પ્રદર્શન લાઠીચાર્જ કેસમાં કોર્ટનો હસ્તક્ષેપથી સ્પષ્ટ ઈનકાર, જાણો અદાલતે શું આપી દલીલ
Rahul Gandhi NEET Controversy Protest રાહુલ ગાંધીના પ્રદર્શન વચ્ચે સરકારનું સ્પષ્ટીકરણ, NEET મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર, પણ રાજીનામુ
Exit mobile version