Site icon News Continuous Bureau | Mumbai

Mumbai News: મુંબઈમાં કાળઝાળ ગરમીના કારણે સુકાઈ રહ્યા છે જળાશયો, મુંબઈગરાઓ પર પાણી કાપ લટકતી તલવાર..

Mumbai News: એક તરફ વધતા તાપમાન અને કાળઝાળ ગરમીના કારણે મુંબઈગરાઓ પરેશાન થઈ ગયા છે. તો બીજી તરફ ઉનાળામાં મુંબઈગરાઓ પર પાણી કાપની તલવાર લટકી રહી છે. કારણ કે મુંબઈને પાણી પૂરું પાડતા 7 જળાશયોના જળસંગ્રહમાં ઘટાડો નોંધાયો છે.

Mumbai News water Crisis Looms As Water Level Drops Below 20% in 7 dams in mumbai

Mumbai News water Crisis Looms As Water Level Drops Below 20% in 7 dams in mumbai

News Continuous Bureau | Mumbai 

Mumbai News: રાજ્યભરમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં આકરી ગરમીના કારણે મુંબઈને પાણી પુરૂ પાડતા જળાશયો ઝડપથી સુકાઈ રહ્યા છે. જેના કારણે મુંબઈગરાઓ પર પાણી કાપની તલવાર લટકી રહી છે. ( Mumbai water shortage ) 

Join Our WhatsApp Community

Mumbai News:મુંબઈમાં 10 થી 15 ટકા પાણીકાપનું સંકટ

પ્રાપ્ત માહિતી અનુસાર  મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં અત્યારે માત્ર 19 ટકા પાણી બચ્યું છે અને ગયા વર્ષની સરખામણીમાં આ અનામત લગભગ સાત ટકા ઓછું છે. દરમિયાન, હવામાન વિભાગે ચેતવણી પણ આપી છે કે આગામી કેટલાક દિવસો સુધી આવી જ ‘ગરમી’ જેવી સ્થિતિ ચાલુ રહેશે, જેના કારણે મુંબઈમાં 10 થી 15 ટકા પાણીકાપનું સંકટ ઉભું થયું છે. ( Mumbai water level )

Mumbai News: મુંબઈને આ સાત ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. 

જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મહત્વનું છે કે મુંબઈને અપર વૈતરણા, મધ્ય વૈત્રાણા, મોડક સાગર, ભાતસા, તાનસા, તુલસી અને વિહાર નામના સાત ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. ( Mumbai water dams )

Mumbai News: મુંબઈને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીનો સંગ્રહ –

– અપર વૈતરણા- 18.56 ટકા

–  મધ્ય વૈતરણા – 9.66 ટકા

– મોડક સાગર – 24.27 ટકા

– તાનસા – 35.87 ટકા

– ભાતસા – 18 ટકા

– વિહાર – 32.66 ટકા

– તુલસી – 37. 67 ટકા

આ સમાચાર પણ વાંચો : આજે મુંબઈના વરલીના NSCI સ્ટેડિયમ ખાતે, જૈન મુનિ અજીતચંદ્ર સાગર મહારાજની સરસ્વતી સાધના; જુઓ લાઈવ

Mumbai News: મુંબઈકરોની ચિંતા વધી 

મુંબઈને પાણી પહોંચાડતા સાતેય ડેમમાં પાણીનો સંગ્રહ ઘટવાથી મુંબઈકરોની ચિંતા વધી ગઈ છે. જેના કારણે પાણીની તંગી ( Mumbai water cut ) સર્જાવાની સંભાવના છે. પરંતુ મુંબઈ મ્યુનિસિપલ પ્રશાસને હજુ સુધી પાણી કાપના કોઈ સંકેત આપ્યા નથી. પરંતુ મુંબઈકરોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ વહીવટીતંત્ર ડેમમાં પાણીના સંગ્રહની સમીક્ષા કરે છે અને પછી પાણી ઘટાડવા અંગે નિર્ણય લે છે. હવે આ ડેમમાં પાણીનો સંગ્રહ ઓછો થયો છે ત્યારે પાલિકા શું નિર્ણય લે છે તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત છે.

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version