Site icon

મુંબઈમાં કોરોના રસીની ભારે તંગી. આ બે દિવસ દરમિયાન શહેરના બીએમસી અને સરકારી સંચાલિત રસીકરણ કેન્દ્ર બંધ રહેશે; જાણો વિગતે    

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

બીએમસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રસીના ડોઝની અછતને કારણે 12 ઓગસ્ટ અને 13 ઓગસ્ટના રોજ મુંબઈમાં રાજ્ય સરકાર અને બીએમસી દ્વારા સંચાલિત કેન્દ્રો પર સામે રસીકરણ થશે નહીં.

નાગરિક સંસ્થાએ જણાવ્યું કે 14 ઓગસ્ટથી ડ્રાઇવ ફરી શરૂ થશે, કારણ કે 12 ઓગસ્ટના રોજ રસીનો નવો સ્ટોક આવે તેવી અપેક્ષા છે અને બીજા દિવસે તમામ મહાનગરપાલિકા અને સરકાર સંચાલિત કેન્દ્રોમાં વહેંચવામાં આવશે.

આ જ મહિનામાં આ બીજી વખત છે જ્યારે BMC એ રસીના ડોઝની અછતને કારણે અભિયાન સ્થગિત કર્યું છે. અગાઉ, તેણે 5 ઓગસ્ટના રોજ રસીકરણ બંધ કેન્દ્રો બંધ રાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શહેરમાં કુલ 401 રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 કેન્દ્રો અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version