Site icon

મુંબઈમાં કોરોના રસીની ભારે તંગી. આ બે દિવસ દરમિયાન શહેરના બીએમસી અને સરકારી સંચાલિત રસીકરણ કેન્દ્ર બંધ રહેશે; જાણો વિગતે    

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

બીએમસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રસીના ડોઝની અછતને કારણે 12 ઓગસ્ટ અને 13 ઓગસ્ટના રોજ મુંબઈમાં રાજ્ય સરકાર અને બીએમસી દ્વારા સંચાલિત કેન્દ્રો પર સામે રસીકરણ થશે નહીં.

નાગરિક સંસ્થાએ જણાવ્યું કે 14 ઓગસ્ટથી ડ્રાઇવ ફરી શરૂ થશે, કારણ કે 12 ઓગસ્ટના રોજ રસીનો નવો સ્ટોક આવે તેવી અપેક્ષા છે અને બીજા દિવસે તમામ મહાનગરપાલિકા અને સરકાર સંચાલિત કેન્દ્રોમાં વહેંચવામાં આવશે.

આ જ મહિનામાં આ બીજી વખત છે જ્યારે BMC એ રસીના ડોઝની અછતને કારણે અભિયાન સ્થગિત કર્યું છે. અગાઉ, તેણે 5 ઓગસ્ટના રોજ રસીકરણ બંધ કેન્દ્રો બંધ રાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શહેરમાં કુલ 401 રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 કેન્દ્રો અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.

 

Water Supply Disrupted: પાણી પુરવઠો ખોરવાયો: માહિમમાં પાઇપલાઇન લીકેજને કારણે ખાર અને બાંદ્રામાં અછત, હજારો લિટર પાણીનો વ્યય
Mumbai Bike Theft: પડદા પર કલાકાર અને રસ્તા પર બાઈક ચોર: ૧૭ ગુના આચરનાર રીલ્સ સ્ટારની પોલીસે કરી ધરપકડ, જાણો કેવી રીતે થયો પર્દાફાશ
Vile Parle Fire: વિલે પાર્લેમાં ‘સુવિધા પર્લ’ ના ૧૩મા માળે લાગી આગ: ધુમાડામાં ગૂંગળામણથી એક વૃદ્ધાનું મોત, અન્ય એક મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ
Mumbai Water Cut: મુંબઈમાં ૩૦ કલાકનો પાણી કાપ: ગોવંડી, ચેમ્બુર અને માનખુર્દમાં પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે, જાણો ક્યારથી શરૂ થશે કાપ
Exit mobile version