Site icon

Mumbai : મુંબઈમાં સ્વતંત્રતા દિવસ પર રેલવેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શહેરમાં હાઈ એલર્ટ

Mumbai : અજાણ્યા વ્યક્તિ એ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને ધમકી આપી, સમગ્ર શહેરમાં ૧૪,૦૦૦ થી વધુ પોલીસકર્મી તૈનાત.

Mumbai મુંબઈમાં સ્વતંત્રતા દિવસ પર રેલવેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શહેરમાં હાઈ એલર્ટ

Mumbai મુંબઈમાં સ્વતંત્રતા દિવસ પર રેલવેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શહેરમાં હાઈ એલર્ટ

News Continuous Bureau | Mumbai

Mumbai : સ્વતંત્રતા દિવસ (Independence Day) પર રેલવેમાં બોમ્બ વિસ્ફોટની ધમકી બાદ મુંબઈમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેરભરમાં ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, ગુરુવારે રાત્રે એક અજાણ્યા વ્યક્તિ એ મુંબઈ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ ધમકી આપી હતી. આ મામલે ગુનો નોંધીને ધમકી આપનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં ૧૪,૦૦૦ થી વધુ પોલીસકર્મી તૈનાત

આ ધમકીને ગંભીરતાથી લઈને શહેરમાં ૧૪,૦૦૦ થી વધુ પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં ૬ એડિશનલ પોલીસ કમિશનર, ૧૭ પોલીસ ડેપ્યુટી કમિશનર, ૩૯ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, ૨,૫૨૯ અધિકારીઓ અને ૧૧,૬૮૨ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શહેરના સંવેદનશીલ સ્થળો પર ફોર્સ વન, SRPF, ક્વિક રિસ્પોન્સ ટીમ, રેપિડ એક્શન ફોર્સ અને હોમગાર્ડના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : 79th Independence Day: લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદી એ કરી યુવાનોને અપીલ; લડાકુ વિમાનો ભારતમાં જ બનવા જોઈએ

ભીડવાળા વિસ્તારોની સતત દેખરેખ

પોલીસ અધિકારીએ જણાવ્યું કે રેલવે સ્ટેશનો અને મોલ (Malls) જેવા ભીડવાળા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ વિસ્તારો પર સીસીટીવી (CCTV) કેમેરા નેટવર્ક દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા પણ ભીડવાળા સ્થળો પર સતત તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે સાદા પોશાકમાં પણ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

Bhayander: મુંબઈના ભાયંદરમાં દાંડિયા કાર્યક્રમમાં કોમી તણાવ, એક યુવક નું આધાર કાર્ડ મળતા શરૂ થઇ બબાલ
Mumbai attacks: મુંબઈ હુમલા પર ચિદમ્બરમની મોટી કબૂલાત, યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસ ને લઈને કહી આવી વાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Exit mobile version