Site icon

શું મુંબઈ શહેર પર કોઈ ખતરો છે? પોલીસ વિભાગે આ આદેશ જાહેર કર્યો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૧ મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈ પોલીસ આયુક્ત અને તરફથી એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ નવા આદેશ મુજબ આગામી બે જુન સુધી આખેઆખા મુંબઈ શહેરમાં  ડ્રોન, પેરાગ્લાઈડર અને રિમોટ કન્ટ્રોલથી ચાલનાર માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, એરિયલ મિસાઈલ જેવા ઉપકરણોને ઉડાવવા પર પાબંદી લગાવવામાં આવી છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર ની વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે. મુંબઇની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસને એવી શંકા છે કે આવા પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરીને વિમાની સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. આમ શહેરને સુરક્ષિત કરવાના હેતુથી પોલીસ વિભાગે મોટો નિર્ણય લીધો છે.

શું ગંગા અને યમુના નું પાણી હવે કોરોના ગ્રસ્ત થઈ ગયું છે? લોકોની ચિંતા વધી.
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version