Site icon

શિવસેના ની શાનમાં ગુસ્તાખી. બાળાસાહેબ ઠાકરેના કોલાબામાં પ્રસ્તાવિત પુતળા નો વિરોધ.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

19 જાન્યુઆરી 2021

રવિવારના દિવસે પ્રશાસન દ્વારા દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજી ચોક પાસે બાળાસાહેબ ઠાકરે નું પૂતળું મૂકવામાં આવ્યું. આ પૂતળું અત્યારે પૂરી રીતે ઢંકાયેલું છે અને તેનું અનાવરણ નથી કરવામાં આવ્યું. 

આ અનાવરણ પહેલાં જ સ્થાનિક લોકોએ પૂતળાનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. આપલી મુંબઈ નામના સંગઠનને પોતાનો વિરોધ દર્શાવતા કહ્યું છે કે સાર્વજનિક સ્થળો પર પૂતળા લગાડવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. આવા પૂતળા મૂકવાને કારણે રાહદારીઓ ને તકલીફ પહોંચે છે તેમજ જે તે વ્યક્તિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ દિવસે લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ જાય છે અને રસ્તો બંધ થાય છે.

સંગઠને આ સંદર્ભે કલેકટર તેમજ અન્ય ઓથોરિટી નો સંપર્ક સાધીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના ની સરકાર છે આવા સમયે લોકોનો વિરોધ તે ગણકારે એવી શક્યતા નહિવત્ છે.

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version