Site icon News Continuous Bureau | Mumbai

આનંદો.. મુંબઈ સ્થિતિ નેશનલ પાર્ક જલ્દી જ મોર્નિંગ વોકર્સ માટે ખુલ્લો મુકાશે. જાણો પ્રશાસન ક્યારે અને કેવી તૈયારી કરી રહ્યું છે.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

14 સપ્ટેમ્બર 2020

મુંબઈના બોરીવલી સ્થિત સંજય ગાંધી નેશનલ પાર્ક (એસજીએનપી) આગામી  ઓક્ટોબરથી સવારના વૉકર્સ માટે ખોલવામા આવે એવી સંભાવના છે. નોંધનીય વાત છે કે  દેશવ્યાપી લોકડાઉન બાદ માર્ચ મહિનાથી નેશનલ પાર્ક જાહેર જનતા માટે સંપૂર્ણ બંધ કરી દેવાયું હતું.. એસજીએનપીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે હજુ સુધી પાર્ક ખોલવાની તારીખ નક્કી કરી નથી કારણ કે તે સરકારના નિર્ણય પર આધારીત છે. જોકે, અમે વોકર્સ માટે પાર્ક ખોલવા પહેલાની તમામ તૈયાર કરી રહ્યા છીએ જેમકે સફાઇ કામ, નાના નાના સમારકામ વગેરે હાથ ધર્યા છે."

નોંધનીય છે કે કોવિડ-19 રોગચાળો શરૂ થતાં પહેલાં, 3,000-4,000 થી પ્રવાસીઓ દૈનિક ધોરણે નેશનલ પાર્ક (એસજીએનપી) ની મુલાકાત લેતા હતા અને સપ્તાહના અંત માં આ સંખ્યા વધી જતી હતી. તદુપરાંત, દરરોજ, 500-600 જેટલા સવારના વૉક કરનારા લોકો ઉદ્યાનની મુલાકાત લેતા હતા. વન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ આ બંધને કારણે પાર્કને દરરોજ સરેરાશ 2 થી 3 લાખની આવક ગુમાવવી પડી રહી છે, જે પાર્કની એન્ટ્રી ફી, પશુ સફારી ટિકિટ વગેરેના વેચાણ દ્વારા મળતી હતી.

એસજીએનપીની સાથે સાથે વસઈમાં તુંગારેશ્વર વન્યપ્રાણી અભયારણ્ય ખોલવા અંગેનો નિર્ણય પણ ટૂંક સમયમાં લેવામાં આવશે. નોંધનીય છે કે લોકડાઉનના પ્રતિબંધો હળવા થવા માંડતાં, બીએમસીએ ઉદ્યાનોમાં લોકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવી રહી છે. આથી જ બોરીવલી આસપાસના લોકો પૂછપરછ કરતા હતા કે મોર્નિંગ વોકર્સ માટે આ પાર્ક ક્યારે ખુલશે.. !!

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version