Site icon

મુંબઈમાં શાળાની બેફામ ફી સંદર્ભે પહેલીવાર મહારાષ્ટ્રની શિક્ષણ મંત્રીએ પગલા લીધા. જાણો વિગત અહીં..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 ફેબ્રુઆરી 2021

અનેક વિદ્યાર્થી સંગઠનો તેમજ અભિભાવકોની મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ સાથે મિટિંગ થઈ. આ મિટિંગમાં પાલકો ના એસોસીએશન તેમજ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વરિષ્ઠ લોકો ઉપસ્થિત હતા.

બેઠક દરમિયાન મુદ્દો રજૂ કરવામાં આવ્યો કે અનેક શાળાઓ ફી ભરવા માટે પાલક ઉપર દબાણ કરી રહ્યા છે. આ સંદર્ભે મહત્વનું નિવેદન આપતાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આવી તમામ શાળાઓને શિક્ષણ અધિકારી મારફત તપાસ કરવામાં આવશે તેમ જ પગલાં લેવામાં આવશે. મીટિંગ દરમિયાન તેમણે એક વાત સ્પષ્ટ કરી હતી કે જે શાળાઓ લોકડાઉન દરમ્યાન બંધ રહી હતી તે શાળાઓ ફી ન વસૂલી શકે. આ ઉપરાંત ફી ન ભરવાને કારણે કોઈ વિદ્યાર્થીને શાળા માંથી બહાર કાઢવા અયોગ્ય રહેશે. તેમજ કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષામાં બેસતા નહીં રોકી શકાય અને તેમના પાલકોને વોટ્સઅપ ગ્રુપમાંથી બહાર કાઢવા પણ આયોગ્ય રહેશે.

આમ મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી પહેલીવાર વિદ્યાર્થીઓના પક્ષમાં ખુલીને સામે આવ્યા છે

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version