Site icon News Continuous Bureau | Mumbai

આ તારીખથી બોરીવલી ખાતેનું સંજય ગાંધી નેશનલ પાર્ક ખુલી શકે છે.. લોકો માટે ખુશ ખબરી.. વાંચો અહીં

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020

સંજય ગાંધી નેશનલ પાર્ક (SNGP) પહેલી ઓક્ટોબરથી સવારે 'વોકિંગ' 'જોગિંગ' કરવાં આવતા લોકો માટે ખુલ્લો મૂકી શકાય છે. એક અનુમાન મુજબ લોકડાઉન પહેલા દરરોજ સવારે અંદાજે 500 લોકો પાર્કની  મુલાકાત લેતાં હતાં અને આખા દિવસભરમાં 3,000 જેટલાં પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લેતા હતા.. પરંતુ 31 માર્ચથી લોકડાઉન શરૂ થયું ત્યારથી પાર્ક બંધ છે. 

Join Our WhatsApp Channel

પ્રથમ ઓક્ટોબર થી એસએનજીપી પાર્ક સવારે ચાલવા આવનારા માટે 5.30 થી 8.30 સુધીના મર્યાદિત સમય માટે જ ખુલ્લો રહેશે. હાલ પ્રવાસીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે, ઉદ્યાનની અંદર નજીવા સમારકામ સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ અંતિમ નિર્ણય રાજ્ય સરકારનો  રહેશે.  સવારે ચાલવા આવનારા દરેક લોકોએ શારીરિક અંતર જાળવવું, સેનિટાઇઝિંગ અને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન – એમ ઉનાળાના શ્રેષ્ઠ ચાર મહિનામાં કોવિડ -19 લોકડાઉનને કારણે આ પાર્ક બંધ રહેતાં પ્રશાસને નોંધપાત્ર આવક ગુમાવવી પડી છે. 

સરકારની મંજૂરી બાદ વન વિભાગ 1 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે તમામ વન્યપ્રાણી પાર્ક ખોલવાની યોજના પણ બનાવી રહ્યું છે, જે નિર્ણયને સ્થાનિક રહેવાસીઓ અને વહીવટીતંત્રએ પણ વધાવી લીધો છે.

Malad Law Student Attack મલાડમાં લૉ ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનાર વોન્ટેડ બદમાશ દબોચાયો
Powai BEST Electric Bus Accident પવઈમાં બેસ્ટની ઈલેક્ટ્રિક બસ ડિવાઈડર સાથે અથડાઈ, ૭ મુસાફરો ઈજાગ્રસ્ત
Mumbai Customs Smuggling Operation એરપોર્ટથી દરિયાઈ સરહદ સુધી કસ્ટમ્સની સર્જિકલ સ્ટ્રાઈક! રૂ. ૨૮.૮ કરોડના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર તસ્કરી રેકેટનો પર્દાફાશ!
Mumbai Police Officer Threatens Protesters મુંબઈ પોલીસની દાદાગીરી, આંદોલનકારીઓને બોગસ ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનો વીડિયો વાયરલ.. જુઓ
Exit mobile version