Site icon News Continuous Bureau | Mumbai

આ તારીખથી બોરીવલી ખાતેનું સંજય ગાંધી નેશનલ પાર્ક ખુલી શકે છે.. લોકો માટે ખુશ ખબરી.. વાંચો અહીં

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020

સંજય ગાંધી નેશનલ પાર્ક (SNGP) પહેલી ઓક્ટોબરથી સવારે 'વોકિંગ' 'જોગિંગ' કરવાં આવતા લોકો માટે ખુલ્લો મૂકી શકાય છે. એક અનુમાન મુજબ લોકડાઉન પહેલા દરરોજ સવારે અંદાજે 500 લોકો પાર્કની  મુલાકાત લેતાં હતાં અને આખા દિવસભરમાં 3,000 જેટલાં પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લેતા હતા.. પરંતુ 31 માર્ચથી લોકડાઉન શરૂ થયું ત્યારથી પાર્ક બંધ છે. 

Join Our WhatsApp Channel

પ્રથમ ઓક્ટોબર થી એસએનજીપી પાર્ક સવારે ચાલવા આવનારા માટે 5.30 થી 8.30 સુધીના મર્યાદિત સમય માટે જ ખુલ્લો રહેશે. હાલ પ્રવાસીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે, ઉદ્યાનની અંદર નજીવા સમારકામ સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ અંતિમ નિર્ણય રાજ્ય સરકારનો  રહેશે.  સવારે ચાલવા આવનારા દરેક લોકોએ શારીરિક અંતર જાળવવું, સેનિટાઇઝિંગ અને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન – એમ ઉનાળાના શ્રેષ્ઠ ચાર મહિનામાં કોવિડ -19 લોકડાઉનને કારણે આ પાર્ક બંધ રહેતાં પ્રશાસને નોંધપાત્ર આવક ગુમાવવી પડી છે. 

સરકારની મંજૂરી બાદ વન વિભાગ 1 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે તમામ વન્યપ્રાણી પાર્ક ખોલવાની યોજના પણ બનાવી રહ્યું છે, જે નિર્ણયને સ્થાનિક રહેવાસીઓ અને વહીવટીતંત્રએ પણ વધાવી લીધો છે.

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version