Site icon News Continuous Bureau | Mumbai

આ તારીખથી બોરીવલી ખાતેનું સંજય ગાંધી નેશનલ પાર્ક ખુલી શકે છે.. લોકો માટે ખુશ ખબરી.. વાંચો અહીં

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020

સંજય ગાંધી નેશનલ પાર્ક (SNGP) પહેલી ઓક્ટોબરથી સવારે 'વોકિંગ' 'જોગિંગ' કરવાં આવતા લોકો માટે ખુલ્લો મૂકી શકાય છે. એક અનુમાન મુજબ લોકડાઉન પહેલા દરરોજ સવારે અંદાજે 500 લોકો પાર્કની  મુલાકાત લેતાં હતાં અને આખા દિવસભરમાં 3,000 જેટલાં પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લેતા હતા.. પરંતુ 31 માર્ચથી લોકડાઉન શરૂ થયું ત્યારથી પાર્ક બંધ છે. 

Join Our WhatsApp Channel

પ્રથમ ઓક્ટોબર થી એસએનજીપી પાર્ક સવારે ચાલવા આવનારા માટે 5.30 થી 8.30 સુધીના મર્યાદિત સમય માટે જ ખુલ્લો રહેશે. હાલ પ્રવાસીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે, ઉદ્યાનની અંદર નજીવા સમારકામ સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ અંતિમ નિર્ણય રાજ્ય સરકારનો  રહેશે.  સવારે ચાલવા આવનારા દરેક લોકોએ શારીરિક અંતર જાળવવું, સેનિટાઇઝિંગ અને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન – એમ ઉનાળાના શ્રેષ્ઠ ચાર મહિનામાં કોવિડ -19 લોકડાઉનને કારણે આ પાર્ક બંધ રહેતાં પ્રશાસને નોંધપાત્ર આવક ગુમાવવી પડી છે. 

સરકારની મંજૂરી બાદ વન વિભાગ 1 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે તમામ વન્યપ્રાણી પાર્ક ખોલવાની યોજના પણ બનાવી રહ્યું છે, જે નિર્ણયને સ્થાનિક રહેવાસીઓ અને વહીવટીતંત્રએ પણ વધાવી લીધો છે.

Demolition Garib Nagar slumsગરીબનગરના ઝૂંપડાં હટાવવાથી બાંદ્રા ટર્મિનસ (Bandra Terminus) ની ક્ષમતા ૫૦ ટકા વધશે
Mumbai Flyover ૨૫૦ કરોડનો ખર્ચ અને ૧૦ વર્ષનો ઇન્તજાર મુંબઈને મળ્યો કેવો ફ્લાયઓવર? કામગીરી પર ઉઠ્યા સવાલો
Matunga Cyber Fraud Case। માટુંગામાં શેરબજારના નામે મહાઠગાઈ ઘરબેઠા ગૂંથણના ક્લાસ ચલાવતી વૃદ્ધાએ ગુમાવ્યા ૨.૨૦ કરોડ
Chembur Child Abduction Foiled। ૧૮ વર્ષના યુવકની સતર્કતાથી બાળકીનું અપહરણ નિષ્ફળ ચેમ્બુરમાં લાલડુંગર પોલીસે શંકાસ્પદને ઝડપ્યો
Exit mobile version