Site icon

રાજ ઠાકરે માંડ માંડ બચ્યા! સ્ટેજ પર બની એવી દુર્ઘટના કે MNSના તમામ કાર્યકર્તાઓનો જીવ અધ્ધર થયો; જુઓ વિડિયો; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે છેલ્લા કેટલાક દિવસોથી MNS શાખા કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ જ ક્રમમાં મહારાષ્ટ્ર નવનિર્માણ શાખાનું ઉદ્ઘાટન મુંબઈમાં ચાંદીવલી અને ગોરેગાંવ ખાતે યોજાયું હતું. ચાંદિવલી શાખાનું ઉદ્ઘાટન કર્યા બાદ રાજ ઠાકરે પૂર્વ ગોરેગાંવ પહોંચ્યા હતા. તે સમયે સ્થાનિક MNS કાર્યકરો અને નાગરિકોની મોટી ભીડ હાજર હતી. આ દરમિયાન રાજ ઠાકરે જ્યાં ઉભા હતા તે સ્ટેજ ધરાશાયી થઈ ગયો.

મીડિયા પ્રકાશિત અહેવાલ મુજબ, ચાંદિવલી શાખાનું ઉદ્ઘાટન કર્યા બાદ રાજ ઠાકરે પૂર્વ ગોરેગાંવ પહોંચ્યા હતા. આ સમયે પક્ષના સ્થાનિક કાર્યકરો અને નાગરિકોની ભારે ભીડ જોવા મળી હતી. રાજ ઠાકરે અને MNSના અન્ય પદાધિકારીઓ સ્ટેજ પર હતા ત્યારે અચાનક મંચ ધરાશાયી થયો. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ પહોંચી નથી. પરિસ્થિતિ સુધર્યા બાદ, આયોજિત કાર્યક્રમ યોજના મુજબ આગળ વધ્યો. 

દિશા સાલિયનની હત્યાને લઈને નારાયણ રાણેનો સનસનાટી ભર્યો આરોપઃ હત્યા અને બળાત્કાર પાછળ મંત્રી હોવાનો દાવો. જાણો વિગત

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા MNS પ્રમુખ રાજ ઠાકરે ઘાટકોપરમાં કામરાજ નગરની MNS શાખાના ઉદ્ઘાટન માટે હાજર રહ્યા હતા. રાજ ઠાકરેએ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં MNSનો ઝંડો ફરકાવવાનું વચન આપ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થોડા મહિનાઓ માટે સ્થગિત કરવામાં આવી છે. રાજ ઠાકરે આ ચૂંટણીમાં MNSને અસરકારક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મનસેએ સાત બેઠકો જીતી હતી. જો કે તેમાંથી છ શિવસેનામાં જોડાયા હતા

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version