Site icon

રાજ ઠાકરે માંડ માંડ બચ્યા! સ્ટેજ પર બની એવી દુર્ઘટના કે MNSના તમામ કાર્યકર્તાઓનો જીવ અધ્ધર થયો; જુઓ વિડિયો; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે છેલ્લા કેટલાક દિવસોથી MNS શાખા કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ જ ક્રમમાં મહારાષ્ટ્ર નવનિર્માણ શાખાનું ઉદ્ઘાટન મુંબઈમાં ચાંદીવલી અને ગોરેગાંવ ખાતે યોજાયું હતું. ચાંદિવલી શાખાનું ઉદ્ઘાટન કર્યા બાદ રાજ ઠાકરે પૂર્વ ગોરેગાંવ પહોંચ્યા હતા. તે સમયે સ્થાનિક MNS કાર્યકરો અને નાગરિકોની મોટી ભીડ હાજર હતી. આ દરમિયાન રાજ ઠાકરે જ્યાં ઉભા હતા તે સ્ટેજ ધરાશાયી થઈ ગયો.

મીડિયા પ્રકાશિત અહેવાલ મુજબ, ચાંદિવલી શાખાનું ઉદ્ઘાટન કર્યા બાદ રાજ ઠાકરે પૂર્વ ગોરેગાંવ પહોંચ્યા હતા. આ સમયે પક્ષના સ્થાનિક કાર્યકરો અને નાગરિકોની ભારે ભીડ જોવા મળી હતી. રાજ ઠાકરે અને MNSના અન્ય પદાધિકારીઓ સ્ટેજ પર હતા ત્યારે અચાનક મંચ ધરાશાયી થયો. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ પહોંચી નથી. પરિસ્થિતિ સુધર્યા બાદ, આયોજિત કાર્યક્રમ યોજના મુજબ આગળ વધ્યો. 

દિશા સાલિયનની હત્યાને લઈને નારાયણ રાણેનો સનસનાટી ભર્યો આરોપઃ હત્યા અને બળાત્કાર પાછળ મંત્રી હોવાનો દાવો. જાણો વિગત

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા MNS પ્રમુખ રાજ ઠાકરે ઘાટકોપરમાં કામરાજ નગરની MNS શાખાના ઉદ્ઘાટન માટે હાજર રહ્યા હતા. રાજ ઠાકરેએ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં MNSનો ઝંડો ફરકાવવાનું વચન આપ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થોડા મહિનાઓ માટે સ્થગિત કરવામાં આવી છે. રાજ ઠાકરે આ ચૂંટણીમાં MNSને અસરકારક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મનસેએ સાત બેઠકો જીતી હતી. જો કે તેમાંથી છ શિવસેનામાં જોડાયા હતા

 

Mumbai Traffic Police :મુંબઈ ટ્રાફિક પોલીસની લાલ આંખ: એક જ મહિનામાં ₹7.72 કરોડનો દંડ વસૂલ્યો
Navi Mumbai:રબાળે MIDC: જેસીબી વડે MTNL કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ; ₹26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Major Gold Haul :મુંબઈ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ: ₹38 કરોડનું સોનું જપ્ત, નૈરોબીથી આવેલી 26 મહિલાઓ ઝડપાઈ
Filmy Robbery in Kurla: કુર્લામાં ફિલ્મી ઢબે લૂંટ: ‘નકલી પોલીસ’ બની આવેલી ટોળકીએ જ્વેલરને ₹15 લાખમાં નવડાવ્યો
Exit mobile version