Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈમાં પાલિકાએ ભાજપ અને શિંદે જુથના ધારાસભ્યોને વિકાસ કામ માટે ફાળવ્યા 147 કરોડ રુપિયા… તો જાણો અહીં યુટીબી ધારાસભ્યોને કેટલું મળ્યું ફંડ….

Mumbai: મુંબઈ મહાનગરપાલિકાની 2017ની ચૂંટણીમાં ચૂંટાયેલા કોર્પોરેટરોનો કાર્યકાળ 7 માર્ચ 2022ના રોજ સમાપ્ત થયો હતો. ત્યાર બાદ મહાનગરપાલિકાના વહીવટની કામગીરી કમિશનર પ્રશાસકને સોંપવામાં આવી છે. પરંતુ જ્યારથી રાજ્યમાં શિંદે સરકાર આવી છે. ત્યારથી મહાનગરપાલિકાના કામકાજમાં આ સરકારની દખલગીરી ખૂબ વધી ગઈ છે…

Mumbai, the municipality allocated so many crores of rupees to the MLAs of BJP and Shinde Juth for development work.. So again there is no fund for UTB MLA

Mumbai, the municipality allocated so many crores of rupees to the MLAs of BJP and Shinde Juth for development work.. So again there is no fund for UTB MLA

News Continuous Bureau | Mumbai  

Mumbai: હાલમાં મુંબઈ મહાનગરપાલિકામાં ( BMC ) કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ નથી. આથી ફરી એકવાર એ વાત સામે આવી છે કે શિંદે સરકાર મહાનગરપાલિકાની કામગીરીમાં ભારે દખલ કરી રહી છે. મહાનગરપાલિકાએ શિંદે સરકાર ( Shinde Govt ) અને ભાજપના ( BJP ) પાંચ ધારાસભ્યોને ( MLA ) 147 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. બીજી તરફ શિવસેના અને મહાવિકાસ અઘાડીના સાંસદો અને ધારાસભ્યોને વારંવારની માંગણી છતાં ફંડ આપવામાં આવ્યું નથી. જેથી હાલ મહાનગરપાલિકાની કામગીરીને લઈને સામાન્ય લોકોમાં ભારે રોષ વ્યકત કરવામાં આવી રહ્યો છે. આ સાથે શિંદે સરકારના આ ગેરવર્તણૂકની સીધી અસર મુંબઈગરાઓ પર પડશે તેવુ જોવા મળી રહ્યું છે.

Join Our WhatsApp Channel

એક અહેવાલ મુજબ, મુંબઈ મહાનગરપાલિકાની 2017ની ચૂંટણીમાં ( BMC Election ) ચૂંટાયેલા કોર્પોરેટરોનો કાર્યકાળ 7 માર્ચ 2022ના રોજ સમાપ્ત થયો હતો. ત્યાર બાદ મહાનગરપાલિકાના વહીવટની કામગીરી કમિશનર પ્રશાસકને સોંપવામાં આવી છે. પરંતુ જ્યારથી રાજ્યમાં શિંદે સરકાર આવી છે. ત્યારથી મહાનગરપાલિકાના કામકાજમાં આ સરકારની દખલગીરી ખૂબ વધી ગઈ છે. તેથી હવે કોર્પોરેટરોની ગેરહાજરીમાં શહેરીજનોને અપાતી પ્રાથમિક સુવિધાઓ કેવી રીતે ચાલશે તે પ્રશ્ન ઉભો થયો છે. દરમિયાન મહાનગરપાલિકાના વહીવટી તંત્રે પૂર્વ કોર્પોરેટરોને તેમના વિભાગના ધારાસભ્ય મારફત જરૂરી કામોના ભંડોળ માટે વાલીમંત્રીને દરખાસ્ત મોકલવા સૂચના આપી છે. જો કે આ ફંડની ફાળવણીમાં સરકારની દખલગીરીના કારણે ભારે ભેદભાવ જોવા મળી રહ્યો છે.

 મુંબઈમાં અત્યાર સુધીમાં 21 ધારાસભ્યોને 570 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે..

મિડીયા રિપોર્ટ મુજબ, શિવસેના ( UBT ) અને મહાવિકાસ આઘાડીના ધારાસભ્યો અને ભૂતપૂર્વ કોર્પોરેટરોને કોઈ ભંડોળ આપવામાં આવી રહ્યું નથી. સરકાર દ્વારા ભલામણ કરાયેલા ધારાસભ્યોને જ ફંડ આપવામાં આવી રહ્યું છે. માહિતી અધિકાર દ્વારા મળેલી માહિતી મુજબ મહાપાલિકા દ્વારા મંજૂર કરાયેલા ભંડોળની વિસ્તૃત વિગતો હવે પ્રકાશમાં આવી છે.

આ સમાચાર પણ વાંચો  : Mumbai: બોરિવલીમાં માતાએ પોતાની જ 11 વર્ષની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી, પછી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.. જાણો શું હતું કારણ..

આ રીતે ભંડોળનું વિતરણ કરવામાં આવ્યુંઃ

દહિસરના ધારાસભ્ય મનીષા ચૌધરી (ભાજપ) – 28 કરોડ
મગાથાણેના ધારાસભ્ય પ્રકાશ સુર્વે (ઘાટી જૂથ) – 25 કરોડ
વર્સોવાના ધારાસભ્ય ભારતી લવેકર (ભાજપ) – 35 કરોડ
ચાંદીવલીના ધારાસભ્ય દિલીપ લાંડે (શિંદે જૂથ) – 24 કરોડ
કુર્લાના ધારાસભ્ય મંગેશ કુડાલકર (શિંદે જૂથ)- 35 કરોડને

દરમિયાન, મુંબઈ શહેરના પાલક મંત્રી દીપક કેસરકર અને ઉપપાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાની ભલામણથી દસ ધારાસભ્યો માટે ફંડ મંજૂર કરવામાં આવશે. જેમાંથી એવું માનવામાં આવે છે કે પાંચ ધારાસભ્યોની ભલામણ ખુદ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 21 ધારાસભ્યોને 570 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. ધારાસભ્યોનું કહેવું છે કે વારંવાર માંગણી કરવા છતાં શિવસેના કે મહાવિકાસ આઘાડીના ધારાસભ્યોને ફંડ આપવામાં આવ્યું નથી. તેનાથી હવે મુંબઈના સંતુલિત વિકાસને અસર થશે કે કેમ તે જોવાનું રહ્યું છે.

Goregaon Hotel Spitting। ગોરેગાંવમાં રોટલીના લોટ પર થૂંકતા રસોઈયાનો વીડિયો વાયરલ, હોટેલ માલિક સહિત બંનેની ધરપકડ
Rajawadi Hospital Ghatkopar। મુંબઈમાં રાજાવાડી હોસ્પિટલના બાથરૂમમાં નવજાત બાળકને ત્યજીને માતા ફરાર, તિલકનગર પોલીસમાં ગુનો દાખલ
Chembur Property Fraud| મુંબઈના ચેમ્બુરમાં મોટું કૌભાંડ ભાજપના નેતા સાથે કનેક્શન હોવાનો દાવો કરી કોન્ટ્રાક્ટર સાથે ૧૧.૨૦ લાખની છેતરપિંડી
Powai Murder Case। મુંબઈના પવઈમાં રીક્ષા ચાલકની અદાવતમાં નિર્દોષ યુવકની સરેઆમ હત્યા, આરોપી ગુજરાતથી ઝડપાયો
Exit mobile version