Site icon

મુંબઈના નવા વોર્ડની રચના સામે માત્ર ભાજપને વાંધો ? દસ દિવસમાં માત્ર આટલા લોકોએ લીધો વાંધો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

શુક્રવાર.

મુંબઈ મહાનગરપાલિકાએ તૈયાર કરેલા 236 વોર્ડની પુનર્રચના સામે ભાજપ પહેલાથી વિરોધ કરી રહ્યો છે. પરંતુ જ્યારે ચૂંટણી પંચે લોકો પાસેથી વાંધા  અને સલાહ-સૂચનો મગાવ્યા ત્યારે છેલ્લા દસ દિવસમાં માત્ર 100 લોકોએ પવાંધા અને સૂચનો નોંધાવ્યા છે.

મુંબઈના 227 વોર્ડમાં ફેરરચના કરીને તેને 236 બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. વોર્ડની પુનર્રચનાના ડ્રાફ્ટ સામે હાલ લોકોને વાંધા અને સલાહ-સૂચનો આપવાનું કહેવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી વોર્ડના વિભાજન સામે વાંધો લેનારાનું પ્રમાણ વધુ છે. તો પૂરા વોર્ડની રચના સામે કોઈએ પણ હજી સુધી વાંધો ઉઠાવ્યો નથી.

શિવસેનાના આ નેતાએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કર્યો મોટો દાવો..જાણો વિગત

છેલ્લા દસ વર્ષમાં લોક સંખ્યા વધી ગઈ હોવાનું કારણ આપીને વોર્ડની નવેસરથી રચના કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ વોર્ડની પુનર્રચનાને માન્યતા આપી દીધી છે. હવે લોકો પાસેથી પહેલી ફેબ્રુઆરીથી સલાહ-સૂચનો અને વાંધા મગાવવામાં આવી રહ્યા છે. સલાહ-સૂચનો નોંધાવવા માત્ર પાંચ દિવસ બચ્યા છે, ત્યારે માંડ 

100 લોકો જ વોર્ડના વિભાજન સામે વાંધો લીધો છે, હવે કદાચ પાંચ- છ દિવસમાં આ આંકડો વધે એવી શક્યતા છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version