Site icon

મુંબઈગરાના માથાથી પાણીકાપનું સંકટ ટળ્યુ, જળાશયોમાં મબલખ પાણી.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

એક તરફ મહારાષ્ટ્રના(Maharshtra) અનેક જિલ્લામાં પાણીની કારમી(Water shortage) અછત સર્જાઈ છે. તો બીજી તરફ આ વર્ષે મુંબઈગરાને પાણીકાપનો(Water cut) સામનો કરવાની નોબત આવી નથી. મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં 21.99 ટકા જેટલો પાણીનો સ્ટોક(Water stock) બાકી છે. આ પાણી જુલાઈ સુધી ચાલે એટલું છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીની સંકટ (Water problems)વધી ગયું છે. ત્યાં ટેન્કરથી પાણી પુરવઠો(Water supply) કરવો પડી રહ્યો છે. તેની સામે આ વર્ષે મુંબઈગરાને માથા પરથી પાણી કાપનું સંકટ ટળી ગયું છે. દર વર્ષે મુંબઈમાં 10થી 15 ટકા પાણી કાપ મુકવામાં આવતો હોય છે. જોકે આ વર્ષે જળાશયોમા પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છે. તેમાં પાછું આ વર્ષે ચોમાસાનું(Monsoon) આગમન પણ વહેલું થવાનો વર્તારો છે  અને ચોમાસું પણ સારું રહેશે એવુ માનવામાં આવે છે. 

આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરાને મળશે 505 નવા રસ્તા, રસ્તા બાંધવા BMC ખર્ચશે અધધ રકમ… જાણો વિગતે

હાલ જળાશયમાં  3 15,009 કુલ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે. જેમાં અપર વૈતરણામાં 2,27,047 મિલિયન લિટર, મોડક સાગરમાં 43,431 મિલિયન લિટર, તાનસા તળાવમાં 21,664 મિલિયન લિટર, મિડલ વૈતરણા 82,263  મિલિયન લિટર, ભાતસા(Bhatsa Dam) જળાશયમાં 1,59,483 મિલિયન લિટર, વિહારમાં  5,394 મિલિયન લિટર અને તુલસીમાં 2,773 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક છે.
 

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version