Site icon News Continuous Bureau | Mumbai

Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.

એક મહિનાથી ચાલતા બ્લોકનો અંત; એક્સપ્રેસ ટ્રેનો માટે અલગ ટ્રેક મળતા લોકલનો રસ્તો થશે સાફ, જાણો કેવી રીતે ઘટશે પ્લેટફોર્મ પરની ભીડ.

Western Railway Update કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇ

Western Railway Update કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇ

News Continuous Bureau | Mumbai

Western Railway Update  પશ્ચિમ રેલ્વેના કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઇન નાખવાનું કામ 21 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યું હતું, જે 18 જાન્યુઆરીએ પૂર્ણ થયું છે. આ સમયગાળા દરમિયાન દરરોજ 200 થી વધુ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી અથવા મોડી દોડતી હતી, જેના કારણે મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે, આજથી એટલે કે 19 જાન્યુઆરી 2026 થી તમામ લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો તેમના નિર્ધારિત સમયપત્રક મુજબ દોડવાની શરૂઆત થઈ ગઈ છે.ગઈકાલે આ નવા ટ્રેક પર સીઆરએસ (CRS) દ્વારા અંતિમ ટ્રાયલ લેવામાં આવી હતી. આ પરીક્ષણ દરમિયાન પાંચમી લાઇન પર 85 કિમી અને છઠ્ઠી લાઇન પર 107 કિમી પ્રતિ કલાકની ઝડપે એન્જિન દોડાવવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું છે.

Join Our WhatsApp Channel

મુસાફરોને શું ફાયદો થશે?

આ છઠ્ઠી લાઇન મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી સુધીના મોટા પ્રોજેક્ટનો એક મહત્વનો ભાગ છે. તેનાથી થનારા મુખ્ય ફાયદાઓ:
લોકલ ટ્રેનોની નિયમિતતા: લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો હવે આ પાંચમી અને છઠ્ઠી લાઇન પર દોડશે, જેનાથી લોકલ ટ્રેનો માટેના ટ્રેક ખાલી રહેશે અને લોકલ સમયસર દોડશે.
ભીડમાં ઘટાડો: ટ્રેનોની ફ્રીક્વન્સી વધવાની શક્યતા છે, જેનાથી પીક અવર્સ દરમિયાન સ્ટેશનો પર થતી ભીડમાં ઘટાડો થશે.
સ્પીડમાં વધારો: એક્સપ્રેસ ટ્રેનોને હવે લોકલ ટ્રેનોના કારણે રોકાવું નહીં પડે, પરિણામે મુસાફરીના સમયમાં ઘટાડો થશે.

આ સમાચાર પણ વાંચો : BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?

મહિનાભરના સંઘર્ષનો અંત

બ્લોક દરમિયાન વિરાર અને ચર્ચગેટ વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓને ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો. ઘણા મુસાફરોએ સેન્ટ્રલ રેલ્વે (દાદર થઈને) નો સહારો લેવો પડ્યો હતો. હવે છઠ્ઠી લાઇન કાર્યરત થતા અંધેરી, બોરીવલી અને કાંદિવલી જેવા વ્યસ્ત સ્ટેશનો પર લોકલ ટ્રેનોના સંચાલનમાં સરળતા રહેશે. રેલ્વેના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટથી પશ્ચિમ રેલ્વેની ક્ષમતામાં ઘણો વધારો થશે.

Ghatkopar’s Stabbing Attack ઘાટકોપરમાં દૂધ લેવા નીકળેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા ૨૦૨૩ ની અદાવતમાં હત્યાનો પ્રયાસ..
Mumbai Illegal Bangladeshi Nationals મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે ૩૭ બાંગ્લાદેશીઓને દબોચ્યા, દેશનિકાલ કરવા તંત્ર એક્શન મોડમાં
Nahur Footpath Collapse BMC Repair નાહૂરમાં મોડી રાત્રે ફૂટપાથ ધસી પડી ૨ બાઇક ખાડામાં ખાબકતા મોટું નુકસાન, બીએમસીએ સમારકામ શરૂ કર્યું
BEST Bus Mounts Divider Borivali SV Road બોરીવલીમાં બેસ્ટ બસ ડિવાઇડર પર ચડી ગઈ મોટી દુર્ઘટના ટળી, મુસાફરો આબાદ બચ્યા
Exit mobile version