News Continuous Bureau | Mumbai
Atal Setu Bridge: અટલ સેતુ, ભારતનો સૌથી મોટો સી-લિંક બ્રિજ ( Sea-Link Bridge ) જે ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન બાદ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારથી આ બ્રિજ પર અત્યાર સુધીમાં અંદાજે 8.13 લાખ વાહનોના ( vehicles ) ટોલ તરીકે રૂ. 13.95 કરોડની આવક એકત્રિત કરી છે.
દેશમાં અટલ સેતુના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. દેશમાં અટલ સેતુના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. આ વર્ષે 12 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી વચ્ચે 8,13,774 વાહનોએ આ વિશાળ પુલનો ઉપયોગ કર્યો હતો. આ સમયગાળામાં કુલ ટોલ 13,95,85,310 રૂપિયા વસૂલવામાં ( Toll Collection ) આવ્યો છે.
હાલમાં આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર ઓછી છે….
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી ( MMRDA ) ના ડેટા અનુસાર, આ મહિનામાં 8.13 લાખથી વધુ વાહનોએ અટલ સેતુ પાર કર્યું છે. તેમાંથી લગભગ 98% કાર હતી, જે દર્શાવે છે કે મોટાભાગે ખાનગી ડ્રાઇવરો પુલનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે હાલમાં આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર ઓછી છે, જેનું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે. આ બ્રિજને હજુ સુધી તેમના રૂટમાં સામેલ કરવામાં આવ્યો નથી.
🚨 Atal Setu Bridge connecting Mumbai with Navi Mumbai sees surge in traffic, records Rs 13.95 crores in road tax in 1 month. pic.twitter.com/G3wtmyxwxK
— Indian Tech & Infra (@IndianTechGuide) February 15, 2024
એક અહેવાલ મુજબ, પ્રથમ મહિનામાં, અટલ સેતુએ ફાસ્ટ ટેગ્સથી તેની મહત્તમ આવક – રૂ. 13,70,96,815 કમાવી હતી. આ જ સમયગાળામાં પુલ પર 87,04,925 રૂપિયાની રોકડ રકમ એકત્ર કરવામાં આવી હતી. ટોલ પ્લાઝા પર, વાહનચાલકો ( Motorists ) પાસેથી તેમના વાહનો પર ફાસ્ટ ટેગ ( fastag ) ન હોવા બદલ રૂ. 1,50,99,160 વસૂલવામાં આવ્યા હતા. MMRDA એ એવા વાહનચાલકો પાસેથી પણ રૂ. 62,16,430 વસૂલ્યા જેમના ફાસ્ટ ટૅગ્સ સક્રિય ન હતા અને તેથી રોકડમાં ટોલ ચૂકવવો પડ્યો.
આ સમાચાર પણ વાંચો : Railway News : અસુવિધા.. આજથી ચાર મહિના માટે આ એક્સપ્રેસ ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રહેશે રદ..
આ પુલની વિશેષતાઓ
-આ પુલ 6 લેનનો છે, જેમાં દરેક દિશામાં 3 લેન છે.
-આ પુલ સમુદ્ર ઉપર 16.5 કિલોમીટર અને જમીન પર 5.3 કિલોમીટરમાં બનાવવામાં આવ્યો છે.
-આ પુલ 35 મીટર ઊંચો છે, જેથી મોટા જહાજો પુલની નીચેથી પસાર થઈ શકે છે.
-આ બ્રિજ 15,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.
આ પુલ બનાવવાથી શું થયો ફાયદો..
-આ પુલ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય 2 કલાકથી ઘટાડીને 20 મિનિટ કરે છે.
-આ પુલ મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ બંદરને પણ જોડે છે, જેનાથી વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન મળે છે.
-આ પુલ પ્રવાસનને પણ વેગ આપશે, કારણ કે તે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેના ઘણા પ્રવાસન સ્થળોને જોડે છે.
-અટલ સેતુ મુંબઈ અને નવી મુંબઈને જોડતો 21.8 કિલોમીટર લાંબો દરિયાઈ પુલ છે. તે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે અને વિશ્વનો છઠ્ઠો સૌથી લાંબો પુલ છે. આ પુલનું નિર્માણ 2011માં શરૂ થયું હતું અને 2024માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પુલનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
