Site icon News Continuous Bureau | Mumbai

સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત અને આજીવન તેના પ્રચાર માં કાર્યરત એવા મુસ્લિમ પંડિત નું મુંબઈ માં નિધન..

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
   મહારાષ્ટ્રમાં સંસ્કૃત માટે ના પાઠ્યપુસ્તકો તૈયાર કરતા સંસ્કૃતના વિદ્વાન અને સમિતિના અધ્યક્ષ, પંડિત ગુલામ દસ્તાગીર બિરાજદરનું ગુરુવારે બ્રેઈન હેમરેજથી મૃત્યુ થયું હતું. તેઓ 87 વર્ષના હતા. 


  પંડિત ગુલામ સાંપ્રદાયિકતા અને કોમી સંવાદિતાને પ્રોત્સાહન આપનારા હતા. તેઓને બનારસ હિંદુ યુનિવર્સિટી સાથે બીજી ઘણી સંસ્થાઓમાં સંસ્કૃત વિષય અંગે વિદ્યાર્થીઓને લેક્ચર આપવા માટે પણ આમંત્રિત પણ કરવામાં આવતા હતા. વિશ્વ સંસ્કૃત પરીસ્થાન  વારાણસીના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી હોવાને કારણે તેમને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોક્ટર કે.આર. નારાયણન સામે સંસ્કૃત પઠન કરવા માટે પણ આમંત્ર્યા હતા. પંડિત ગુલામ દસ્તાગીર નિવૃત્ત થયા ત્યારે  મુંબઈ ખાતે વરલીની એક સ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક તરીકે કાર્યરત હતા.

Join Our WhatsApp Channel

વિશ્વના અનેક દેશો સહિત બાબા નિત્યાનંદે પણ પોતાના ધામમાં ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી

   વર્ષો પહેલાં મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, 'ભાષાનો કોઈ ધર્મ નથી અને તે કોઈ પણ સમુદાયની પોતાની દૈવિક જાગીર નથી. ફક્ત બ્રાહ્મણો જ સંસ્કૃત ભણી શકે એ કથન એટલું જ નિરર્થક છે જેટલું મુસ્લિમ જ ઉર્દુ ભાષા શીખી શકે.'

Mumbai Fake Mantralaya Officer Arrest| મુંબઈમાં મંત્રાલયના નકલી અધિકારી બની વૃદ્ધા સાથે ૬૦.૪૭ લાખની છેતરપિંડી, માલાડ પોલીસે આરોપીને દબોચ્યો
Navi Mumbai Airoli Molestation Case। રાહદારી મહિલાઓનો પીછો કરી અડપલાં કરનારો સ્કૂટર સવાર જેલના સળિયા પાછળ
Mumbai Anti Narcotics Cell Action। એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી રીઢી મહિલા ડ્રગ પેડલરની અટકાયત, નાશિક જેલમાં ધકેલાઈ
Mumbai Versova Dahisar Coastal Road। મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે ૧,૨૦૦ વૃક્ષો કાપવા મંજૂરી, ૭૦૦ વૃક્ષોને પનવેલમાં રીપ્લાન્ટ કરાશે
Exit mobile version