Site icon News Continuous Bureau | Mumbai

સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત અને આજીવન તેના પ્રચાર માં કાર્યરત એવા મુસ્લિમ પંડિત નું મુંબઈ માં નિધન..

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
   મહારાષ્ટ્રમાં સંસ્કૃત માટે ના પાઠ્યપુસ્તકો તૈયાર કરતા સંસ્કૃતના વિદ્વાન અને સમિતિના અધ્યક્ષ, પંડિત ગુલામ દસ્તાગીર બિરાજદરનું ગુરુવારે બ્રેઈન હેમરેજથી મૃત્યુ થયું હતું. તેઓ 87 વર્ષના હતા. 


  પંડિત ગુલામ સાંપ્રદાયિકતા અને કોમી સંવાદિતાને પ્રોત્સાહન આપનારા હતા. તેઓને બનારસ હિંદુ યુનિવર્સિટી સાથે બીજી ઘણી સંસ્થાઓમાં સંસ્કૃત વિષય અંગે વિદ્યાર્થીઓને લેક્ચર આપવા માટે પણ આમંત્રિત પણ કરવામાં આવતા હતા. વિશ્વ સંસ્કૃત પરીસ્થાન  વારાણસીના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી હોવાને કારણે તેમને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોક્ટર કે.આર. નારાયણન સામે સંસ્કૃત પઠન કરવા માટે પણ આમંત્ર્યા હતા. પંડિત ગુલામ દસ્તાગીર નિવૃત્ત થયા ત્યારે  મુંબઈ ખાતે વરલીની એક સ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક તરીકે કાર્યરત હતા.

Join Our WhatsApp Channel

વિશ્વના અનેક દેશો સહિત બાબા નિત્યાનંદે પણ પોતાના ધામમાં ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી

   વર્ષો પહેલાં મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, 'ભાષાનો કોઈ ધર્મ નથી અને તે કોઈ પણ સમુદાયની પોતાની દૈવિક જાગીર નથી. ફક્ત બ્રાહ્મણો જ સંસ્કૃત ભણી શકે એ કથન એટલું જ નિરર્થક છે જેટલું મુસ્લિમ જ ઉર્દુ ભાષા શીખી શકે.'

Goregaon West Truck Accident ગોરેગાંવ વેસ્ટમાં રામ મંદિર સિગ્નલ નજીક ટ્રક મેટલ સ્ટ્રક્ચર સાથે અથડાઈ; રસ્તા પર કાટમાળ પડતાં ભારે અફરાતફરી
Mumbai FDA Suspends Hotel Licenses FDAની લાલ આંખ, ફૂડ સેફ્ટી નિયમોના ઉલ્લંઘન બદલ મુંબઈની ચાર જાણીતી હોટેલોના લાયસન્સ સસ્પેન્ડ
Metro 4 and 4A Thane ટ્રાફિકના જામમાંથી મળશે મુક્તિ! ‘મેટ્રો ૪’ અને ‘૪A’ના ગાયમુખકેડબરી જંક્શન રૂટને મળી લીલી ઝંડી, જાણો ક્યારથી શરૂ થશે સેવા
Mumbai Mega Block Weekend ઘરની બહાર નીકળતાં પહેલાં ખાસ વાંચો, રવિવારે મુંબઈમાં ત્રણેય રેલવે લાઇન પર મેગાબ્લોક, અનેક લોકલ ટ્રેનો થશે રદ
Exit mobile version