Site icon News Continuous Bureau | Mumbai

ઓ તારી- મુંબઈ શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો. લોકો પરેશાન – જાણો મુંબઈમાં કેટલા રખડતા શ્વાન છે

 News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં રખડતા શ્વાનો (stray dog)નો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. મહાનગરપાલિકા BMC)દ્વારા કૂતરાઓનું વંધ્યકરણ(Sterilization) કરવામાં આવે છે પરંતુ તે કારગર નીવડ્યું નથી તેવું જણાઈ રહ્યું છે. મુંબઈ શહેર(Mumbai city)માં કેટલાક શ્વાન છે તેની છેલ્લી ગણતરી વર્ષ 2014માં કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૯૫ હજાર જેટલા શ્વાનો મુંબઈમાં મોજુદ હતા. હવે વર્ષ 2023માં વધુ એક વખત શ્વાનોની ગણતરી(Calculation) કરવામાં આવશે. આ ગણતરી પહેલાં જ મુંબઈ શહેરમાં હાલ કેટલા શ્વાન છે તે સંદર્ભે નો આંકડો સામે આવ્યો છે.  એક ગણતરી મુજબ હાલ મુંબઈ શહેરમાં 2,96,000 શ્વાનો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મુંબઈ વાસીઓ માસ્ક પહેરવાનું જરાય ભૂલતા નહીં- માત્ર એક દિવસમાં કોરોના ના ૫૦ ટકા કેસ વધી ગયા છે- જાણો તાજા આંકડા અહીં

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેર સહિત થાણા (Thane)અને મીરા રોડ(Mira Road) વિસ્તારમાં લોકોની સતત ફરિયાદ આવી રહી છે કે રાત્રિના સમયે શ્વાનોનો રંજાડ વધી ગયો છે.  જોકે સ્વયંસેવી સંસ્થાઓને કારણે તેમજ સુપ્રીમ કોર્ટ(Supreme court)ના ઓર્ડર ને કારણે મહાનગરપાલિકા(BMC)ઓ મર્યાદિત પગલાં લઈ શકે છે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version