Site icon

બોમ્બે હાઈકોર્ટે BJP નેતા કિરીટ સોમૈયાને આપી રાહત, આ કેસમાં આગોતરા જામીન કર્યા મંજૂર; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

બોમ્બે હાઈકોર્ટે (Bombay Highcourt) આજે મહારાષ્ટ્ર ભાજપના(BJP) નેતા અને પૂર્વ સાંસદ(MP)  કિરીટ સોમૈયાને ધરપકડમાંથી વચગાળાની રાહત આપી છે. 

Join Our WhatsApp Community

હાઈકોર્ટે તેમને આઈએનએસ (INS Vikrant) વિક્રાંત સંબંધિત છેતરપિંડીના કેસમાં આ રાહત આપી છે. 

આ સાથે હાઈકોર્ટે તેમને ચાર દિવસ સુધી પૂછપરછમાં સહકાર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.

હાઈકોર્ટે એમ પણ કહ્યું કે જો સોમૈયાની ધરપકડ કરવામાં આવે તો તેમને રૂ. 50,000ના અંગત બોન્ડ પર મુક્ત કરવામાં આવે. 

હવે કોર્ટ તેમની આગોતરા જામીન અરજી પર બે અઠવાડિયા પછી 28 એપ્રિલે સુનાવણી કરશે.

ઉલ્લેખનીય છે કે આઈએનએસ વિક્રમ યુદ્ધજહાજ બચાવવા માટે નાગરિકો પાસેથી ભેગા કરેલા ભંડોળમાં કરોડોના ગેરવ્યવહાર કર્યાનો આરોપ કિરીટ સોમૈયા પર મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : યુદ્ધ જહાજ વિક્રાંત ફંડ કલેકશન કેસમાં સોમૈયા પિતા-પુત્રની અડચણો વધશે? ભૂગર્ભ જતા રહ્યા હોવાનો શિવસેનાના નેતા સંજય રાઉતનો દાવો..જાણો વિગતે

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version