Site icon News Continuous Bureau | Mumbai

પર્યાવરણનું નિકંદન! બે અઠવાડિયાથી સળગી રહ્યા છે મુંબઈના આ વિસ્તારમાં આવેલા મેનગ્રોન્ઝ. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

એક તરફ મહાવિકાસ આઘાડી પર્યાવરણના જતન માટે મોટા મોટા દાવા કરી રહી છે. તો બીજી તરફ ખુલ્લેઆમ મુંબઈમાં અનેક જગ્યાએ પર્યાવરણનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે.

Join Our WhatsApp Channel

મુંબઈના પશ્ચિમ ઉપનગર દહિસરના સ્થાનિક રહેવાસીઓના બનેલા દહીસર રેસિડન્ટ ફોરમે તાજેતરમાં એવી ફરિયાદ કરી છે કે દહિસરમાં સતત બે અઠવાડિયાથી મેનગ્રોવ્ઝમાં આગ લાગી છે. આ બાબતે અનેક વખત સરકારી એજન્સીઓને ફરિયાદ કર્યા બાદ પણ આગ લગાડનારા સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી. 

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ પોલીસ પણ શરૂ કરશે પોતાનો સ્ટોર. વેચશે કપડા, ટોપી અને પરફ્યુમ જેવો સામાન; જમા થનારા ભંડોળમાથી કરશે આ કામ..જાણો વિગતે

મુંબઈના પશ્ચિમ ઉપનગર દહિસરના સ્થાનિક રહેવાસીઓના બનેલા દહીસર રેસિડન્ટ ફોરમે સોશિયલ મીડિયા ટ્વીટર પર એવી ફરિયાદ કરતી ટ્વીટ કરી છે કે દહિસરમાં સતત બે અઠવાડિયાથી મેનગ્રોવ્ઝમાં આગ લાગી છે. આ બાબતે તેઓએ ટ્વીટર પર તેનો વીડિયો પણ અપલોડ કર્યો છે. 

 

સોશિયલ મીડિયા ટ્વીટર પર અમુક લોકોએ  કોઈ સ્થાનિક બિલ્ડરનો હાથ મેનગ્રોવ્ઝમાં લાગેલી આગ પાછળ હોવાની શંકા પણ વ્યક્ત કરી છે. 
દહીસર રેસિડન્ટ ફોરમે સોશિયલ મિડિયા ટ્વીટર પર મેનગ્રોવ્ઝમાં લાગેલી આગનો વિડીયો પણ નાખ્યો છે અને આ સોશિયલ મિડિયા પર તેમણે રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને પણ ટેગ કર્યા છે. 

Mumbai Water Metro Network મુંબઈમાં સાકાર થશે વિશ્વનું સૌથી મોટું ‘વોટર મેટ્રો નેટવર્ક’ ૬,૦૬૬ કરોડ રૂપિયાનો મેગા પ્રોજેક્ટ, ‘આ’ વર્ષ સુધીમાં શરૂ થશે ૩૩ જળમાર્ગો
Mumbai Local Train Face Off ભયાનક અકસ્માતમાંથી બચાવ ચર્ની રોડ પર ટ્રેનો સામસામે આવી જતાં મુસાફરોમાં ફફડાટ…
Ketan Agrawal Case સિયાચેતનના ‘સિક્રેટ મેરેજ’થી કેસમાં મોટો ટ્વિસ્ટ, શું આ લગ્ન આરોપીઓને અપાવશે કાનૂની સુરક્ષા?
Absconding Thief Arrested ચોરીના કેસમાં ૧૮ વર્ષથી ફરાર ૬૭ વર્ષીય વૃદ્ધ આરોપી ગોરેગાંવથી ઝડપાયો
Exit mobile version