Site icon News Continuous Bureau | Mumbai

સોમવારથી મુંબઈમાં વરિષ્ઠ નાગરિકોને મળશે કોવિશીલ્ડનો બીજો ડોઝ; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોનાના નવા દર્દીઓને મામલે મુંબઈની સ્થિતિ સુધરી છે, પરંતુ હજી પણ દરરોજ થતાં ૪૦-૫૦ મૃત્યુ અચૂક ચિંતાનો વિષય છે. મૃત્યુ પામતી વ્યક્તિઓમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા વધુ છે. એથી પાલિકાએ આ સમસ્યા નિવારવા રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તેમ જ વિકલાંગો કે જેમણે 12 અઠવાડિયાં પહેલાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે, તેઓને સોમવારથી કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. 45 વર્ષથી ઉપરના લાભાર્થીઓને પણ કોવેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે.

હાલમાં રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો ચાલુ છે, પરંતુ ડોઝના અપૂરતા પુરવઠાને લીધે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ થોડા દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે અને હાલમાં ફક્ત 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન્સને જ રસી આપવામાં આવી રહી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં લગભગ 30 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. મુંબઈમાં 11 લાખ વરિષ્ઠ નાગરિકો છે. એમાંથી આઠ લાખને કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે સોમવારથી કોવિન ઍપ્લિકેશન પર ત્રણ દિવસ નોંધણી અને ત્રણ દિવસ વૉક-ઇન પદ્ધતિ દ્વારા રસીના ડોઝ આપવામાં આવશે. વરિષ્ઠ અને વિકલાંગોને સોમવાર, મંગળવાર, બુધવારે 'વૉક-ઇન' અને ગુરુવાર, શુક્રવાર અને શનિવારે ૪૫ વર્ષથી ઉપરના લાભાર્થીઓને નોંધણી કર્યા પછી જ રસી આપવામાં આવશે. જોકે60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ આપવાની પ્રક્રિયા ચાલુ રહેશે.

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version