Site icon

મુંબઈની લોકલ ટ્રેન આંશિક રીતે શરૂ થતા વેપાર-ધંધા પર પોઝિટિવ અસર રહ્યો. શું પડ્યો અસર? જાણો અહીં…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 ફેબ્રુઆરી 2021

મુંબઈની લોકલ ટ્રેનમાં હવે અલગ અલગ સમય મર્યાદામાં સામાન્ય વ્યક્તિ પ્રવાસ કરી શકે છે. આવું કરવાને કારણે હવે શહેર તરફ ના વેપાર ઉદ્યોગ ધંધા પર સવળી અસર પડી છે. અનેક વેપાર ધંધામાં આશરે ૫૦ ટકા જેટલો સુધાર દેખાઈ રહ્યો છે. 

અનેક દુકાનદારોએ પોતાની દુકાનમાં કામ કરી રહેલા કર્મચારીઓને સમયની ફેરબદલ માટેની સવલત કરી આપી છે. જે મુજબ સવારના સમયે શહેર પહોંચવા માટે લોકો પ્રાઈવેટ વાહનથી ઓફિસ પહોંચી જાય છે જ્યારે કે સાંજના સમયે લોકલ ટ્રેનના માધ્યમથી ઘરે પહોંચે છે.

અમુક દુકાનદારોએ સમય ફેરવી નાખ્યો છે. જે મુજબ સવારે વહેલા આવનાર કર્મચારીને નિશ્ચિત સમયમર્યાદામાં રજા આપવામાં આવે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે 15 તારીખ પછી કોલેજના વિદ્યાર્થીઓને લોકલ ટ્રેન માં પ્રવેશ મળશે. જો આવુ થશે તો વેપારીઓને ધંધામાં વધુ ફાયદો મળશે.કુલ મળીને લોકલ ટ્રેનમાં આંશિક રાહત મળવાને કારણે ધંધામાં પણ આંશિક સુધારો આવ્યો છે.

Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Girgaon loot case: ગિરગાંવ આંગળીયા લૂંટ કેસનો આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો, ₹4.88 લાખ રોકડ જપ્ત
Andheri suicide case: અંધેરીમાં ૩૪ વર્ષીય યુવકે કર્યો આપઘાત
Dadar railway molestation: દાદર રેલવે સ્ટેશન પર 19 વર્ષીય યુવતી સાથે છેડતી કરવા બદલ 62 વર્ષીય વ્યક્તિની ધરપકડ
Exit mobile version