Site icon

મુંબઈની લોકલ ટ્રેન આંશિક રીતે શરૂ થતા વેપાર-ધંધા પર પોઝિટિવ અસર રહ્યો. શું પડ્યો અસર? જાણો અહીં…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 ફેબ્રુઆરી 2021

મુંબઈની લોકલ ટ્રેનમાં હવે અલગ અલગ સમય મર્યાદામાં સામાન્ય વ્યક્તિ પ્રવાસ કરી શકે છે. આવું કરવાને કારણે હવે શહેર તરફ ના વેપાર ઉદ્યોગ ધંધા પર સવળી અસર પડી છે. અનેક વેપાર ધંધામાં આશરે ૫૦ ટકા જેટલો સુધાર દેખાઈ રહ્યો છે. 

અનેક દુકાનદારોએ પોતાની દુકાનમાં કામ કરી રહેલા કર્મચારીઓને સમયની ફેરબદલ માટેની સવલત કરી આપી છે. જે મુજબ સવારના સમયે શહેર પહોંચવા માટે લોકો પ્રાઈવેટ વાહનથી ઓફિસ પહોંચી જાય છે જ્યારે કે સાંજના સમયે લોકલ ટ્રેનના માધ્યમથી ઘરે પહોંચે છે.

અમુક દુકાનદારોએ સમય ફેરવી નાખ્યો છે. જે મુજબ સવારે વહેલા આવનાર કર્મચારીને નિશ્ચિત સમયમર્યાદામાં રજા આપવામાં આવે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે 15 તારીખ પછી કોલેજના વિદ્યાર્થીઓને લોકલ ટ્રેન માં પ્રવેશ મળશે. જો આવુ થશે તો વેપારીઓને ધંધામાં વધુ ફાયદો મળશે.કુલ મળીને લોકલ ટ્રેનમાં આંશિક રાહત મળવાને કારણે ધંધામાં પણ આંશિક સુધારો આવ્યો છે.

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version