Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તૈયારી શરુ, નવી મુંબઈ મહાનગરપાલિકાએ આ લેબમાં કોવિડ પરીક્ષણ ક્ષમતામાં વધારો કર્યો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Channel

મંગળવાર. 

કોરોનાના ત્રીજી લહેરના ખતરાને જોતાં નવી મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

આ તૈયારી અંતર્ગત, મહાનગરપાલિકાએ કોરોના ટેસ્ટ વધારવા માટે નેરુલમાં RT-PCR લેબનું વિસ્તરણ કર્યું છે.  

આ વિસ્તરણ સાથે, લેબમાં નમૂનાઓના પરીક્ષણમાં 2000 નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે આ લેબમાં દરરોજ 5000 નમૂનાઓનું પરીક્ષણ શક્ય બનશે. 

ઉલ્લેખનીય છે કે  RT-PCR લેબ 4 ઓગસ્ટ 2020 ના રોજ નેરુલ, મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિત હોસ્પિટલમાં સરકારની પરવાનગી થી શરૂ કરવામાં આવી હતી. 

આ લેબમાં કોરોનાની પ્રથમ અને બીજા લહેર દરમિયાન, 30 ઓક્ટોબર 2021 સુધી 6 લાખ 36 હજાર 73 નમૂનાઓનું RT-PCR પરીક્ષણ મફતમાં કરવામાં આવ્યું હતું.

પંજાબના રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ: કૉંગ્રેસમાંથી રાજીનામું આપવાની સાથે કેપ્ટન અમરિંદર સિંહે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી, રાખ્યું આ નામ

AC Local Train Fire in Mumbai મુંબઈમાં ફરી ડરનો માહોલ, ઘાટકોપર સ્ટેશન પર એસી લોકલ ટ્રેનમાંથી નીકળ્યો ધુમાડો, મુસાફરોમાં ગભરાટ!
MNS Protest in Mumbai રસ્તા પર કોનો અધિકાર? મલાડમાં ‘સફેદ પટ્ટી’ વિવાદમાં MNS મેદાનમાં; BMCએ આ રીતે મામલો થાળે પાડ્યો
Vasai Station Stunt મોતના મુખમાંથી પાછો ફર્યો! વસઈમાં છેલ્લી સેકન્ડે જીવ બચાવી જનાર આ શખ્સ માટે આજે જાણે યમરાજ રજા પર હતા! જુઓ વિડીયો
Western Railway Night Block મુસાફરો માટે ખાસ સૂચના વસઈવૈતરણા વચ્ચે આજે રાત્રે ‘નાઈટ બ્લોક’, ટ્રેન વ્યવહાર પર રહેશે અસર
Exit mobile version